૨૨) અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન રાખનારાઓને અલ્લાહ અને તેના પયગંબરના વિરોધીઓ સાથે મોહબ્બત કરતા તમે નહીં જુઓ, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ લોકો છે જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન લખી દીધું છે. અને જેની પુષ્ટિ પોતાની રૂહ વડે કરી છે. અને જેમને તે જન્નતોમાં દાખલ કરશે જેમની જીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ છે અને આ અલ્લાહથી ખુશ છે. આ અલ્લાહનું જૂથ છે. સાવધાન રહો ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ લોકો છે.


الصفحة التالية
Icon