سورة الإنفطار

الترجمة الغوجراتية

Traduzione della Sura الإنفطار in الغوجراتية da الترجمة الغوجراتية

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) જ્યારે આકાશ ફાટી પડશે.
Verse 2
૨) અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.
Verse 3
૩) અને જ્યારે દરિયાઓ વહી પડશે.
Verse 4
૪) અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.
૫) (ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે.
૬) હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે.
Verse 7
૭) જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો.
૮) જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો.
Verse 9
૯) કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.
Verse 10
૧૦) નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત,
Verse 11
૧૧) લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે.
Verse 12
૧૨) જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે.
Verse 13
૧૩) નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે.
Verse 14
૧૪) અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે.
Verse 15
૧૫) બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે.
Verse 16
૧૬) અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે.
૧૭) અને તને શું ખબર બદલાનો દિવસ શું છે.
૧૮) ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે ?
૧૯) (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે.
تقدم القراءة