ﰏ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)   ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે).
                                                                        ૨)  અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે.
                                                                        ૩)  જેમાં સાચા અને ઠોસ આદેશો હોય.
                                                                        ૪)  ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા.
                                                                        ૫)  તેમને આના સિવાય બીજો કોઇ આદેશ આપવામાં ન આવ્યો કે ફકત અલ્લાહની  ઉપાસના  કરે.  તેના  માટે  જ  દીન  ને  વિશુધ્ધ  રાખે. ઇબ્રાહીમ  હનીફ  ના  દીન  ઉપર  અને  નમાઝને  કાયમ  કરે.  અને ઝકાત આપતા રહે. આ જ છે દીન સાચા પંથનો.
                                                                        ૬)  નિ:શંક જે લોકો ગ્રંથવાળાઓ માંથી ઇન્કારી થયા અને મુશરિક, સૌ જહન્નમની  આગમાં  (જશે)  જ્યાં  તેઓ  હંમેશા  રહેશે.  આ  લોકો દુષ્ટતમ સર્જન છે.
                                                                        ૭)  નિ:શંક  જે  લોકો  ઇમાન  લાવ્યા  અને  સદકર્મો  કર્યા  આ  લોકો શ્રેષ્ઠતમ સર્જન છે.
                                                                        ૮) તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે.