ترجمة معاني سورة الشعراء باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﭑ
ﭒ
૧) તૉ-સીન્-મીમ્
آية رقم 2
ﭓﭔﭕﭖ
ﭗ
૨) આ આયતો પ્રકાશિત કિતાબની છે.
آية رقم 3
ﭘﭙﭚﭛﭜﭝ
ﭞ
૩) તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો.
آية رقم 4
૪) જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
آية رقم 5
૫) અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા.
آية رقم 6
૬) તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે.
آية رقم 7
૭) શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે ?
آية رقم 8
૮) નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
آية رقم 9
ﮖﮗﮘﮙﮚ
ﮛ
૯) અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે.
آية رقم 10
૧૦) અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ.
آية رقم 11
ﮥﮦﮧﮨﮩ
ﮪ
૧૧) ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને ?
آية رقم 12
ﮫﮬﮭﮮﮯﮰ
ﮱ
૧૨) મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે.
آية رقم 13
૧૩) અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
آية رقم 14
ﯜﯝﯞﯟﯠﯡ
ﯢ
૧૪) અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
آية رقم 15
૧૫) અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે.
آية رقم 16
૧૬) તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે.
آية رقم 17
ﯵﯶﯷﯸﯹ
ﯺ
૧૭) કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે.
آية رقم 18
૧૮) ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો ?
آية رقم 19
૧૯) પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે.
آية رقم 20
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૨૦) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું.
آية رقم 21
૨૧) પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
آية رقم 22
૨૨) તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે.
آية رقم 23
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૨૩) ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે ?
آية رقم 24
૨૪) મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
آية رقم 25
ﭾﭿﮀﮁﮂ
ﮃ
૨૫) ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી ?
آية رقم 26
ﮄﮅﮆﮇﮈ
ﮉ
૨૬) મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
آية رقم 27
૨૭) ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
آية رقم 28
૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
آية رقم 29
૨૯) ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ.
آية رقم 30
ﮦﮧﮨﮩﮪ
ﮫ
૩૦) મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું ?
آية رقم 31
૩૧) ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ,
آية رقم 32
ﯕﯖﯗﯘﯙﯚ
ﯛ
૩૨) મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
آية رقم 33
ﯜﯝﯞﯟﯠﯡ
ﯢ
૩૩) અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
آية رقم 34
૩૪) ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
آية رقم 35
૩૫) આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો ?
آية رقم 36
૩૬) તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
آية رقم 37
ﯼﯽﯾﯿ
ﰀ
૩૭) જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
آية رقم 38
ﰁﰂﰃﰄﰅ
ﰆ
૩૮) પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
آية رقم 39
ﰇﰈﰉﰊﰋ
ﰌ
૩૯) અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો,
آية رقم 40
૪૦) જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું,
آية رقم 41
૪૧) જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે ?
آية رقم 42
ﭦﭧﭨﭩﭪﭫ
ﭬ
૪૨) ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો.
آية رقم 43
૪૩) મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
آية رقم 44
૪૪) તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
آية رقم 45
૪૫) હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
آية رقم 46
ﮈﮉﮊ
ﮋ
૪૬) આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
آية رقم 47
ﮌﮍﮎﮏ
ﮐ
૪૭) અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
آية رقم 48
ﮑﮒﮓ
ﮔ
૪૮) એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર,
آية رقم 49
૪૯) ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
آية رقم 50
૫૦) તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે.
آية رقم 51
૫૧) એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે.
آية رقم 52
૫૨) અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
آية رقم 53
ﯭﯮﯯﯰﯱ
ﯲ
૫૩) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
آية رقم 54
ﯳﯴﯵﯶ
ﯷ
૫૪) કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે.
آية رقم 55
ﯸﯹﯺ
ﯻ
૫૫) અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
آية رقم 56
ﯼﯽﯾ
ﯿ
૫૬) અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
آية رقم 57
ﰀﰁﰂﰃ
ﰄ
૫૭) છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે,
آية رقم 58
ﰅﰆﰇ
ﰈ
૫૮) અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
آية رقم 59
ﰉﰊﰋﰌﰍ
ﰎ
૫૯) આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા,
آية رقم 60
ﰏﰐ
ﰑ
૬૦) બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
آية رقم 61
૬૧) બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
آية رقم 62
૬૨) મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
آية رقم 63
૬૩) અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
آية رقم 64
ﭱﭲﭳ
ﭴ
૬૪) અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
آية رقم 65
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૬૫) અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો,
آية رقم 66
ﭻﭼﭽ
ﭾ
૬૬) પછી બીજા લોકોને ડુબાડી દીધા.
آية رقم 67
૬૭) ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
آية رقم 68
ﮉﮊﮋﮌﮍ
ﮎ
૬૮) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
آية رقم 69
ﮏﮐﮑﮒ
ﮓ
૬૯) તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો,
آية رقم 70
ﮔﮕﮖﮗﮘﮙ
ﮚ
૭૦) જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો ?
آية رقم 71
ﮛﮜﮝﮞﮟﮠ
ﮡ
૭૧) તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
آية رقم 72
ﮢﮣﮤﮥﮦ
ﮧ
૭૨) તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે ?
آية رقم 73
ﮨﮩﮪﮫ
ﮬ
૭૩) અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે ?
آية رقم 74
ﮭﮮﮯﮰﮱﯓ
ﯔ
૭૪) તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
آية رقم 75
ﯕﯖﯗﯘﯙ
ﯚ
૭૫) તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો ?
آية رقم 76
ﯛﯜﯝ
ﯞ
૭૬) તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે.
آية رقم 77
ﯟﯠﯡﯢﯣﯤ
ﯥ
૭૭) અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે.
آية رقم 78
ﯦﯧﯨﯩ
ﯪ
૭૮) જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
آية رقم 79
ﯫﯬﯭﯮ
ﯯ
૭૯) તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
آية رقم 80
ﯰﯱﯲﯳ
ﯴ
૮૦) અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે.
آية رقم 81
ﯵﯶﯷﯸ
ﯹ
૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
آية رقم 82
૮૨) અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
آية رقم 83
ﰃﰄﰅﰆﰇﰈ
ﰉ
૮૩) હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
آية رقم 84
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૮૪) અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
آية رقم 85
ﭘﭙﭚﭛﭜ
ﭝ
૮૫) મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
آية رقم 86
ﭞﭟﭠﭡﭢﭣ
ﭤ
૮૬) અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં.
آية رقم 87
ﭥﭦﭧﭨ
ﭩ
૮૭) અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
آية رقم 88
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૮૮) જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
آية رقم 89
ﭱﭲﭳﭴﭵﭶ
ﭷ
૮૯) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે.
آية رقم 90
ﭸﭹﭺ
ﭻ
૯૦) અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે.
آية رقم 91
ﭼﭽﭾ
ﭿ
૯૧) અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
آية رقم 92
ﮀﮁﮂﮃﮄﮅ
ﮆ
૯૨) અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે ?
آية رقم 93
૯૩) જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે ?
آية رقم 94
ﮏﮐﮑﮒ
ﮓ
૯૪) બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
آية رقم 95
ﮔﮕﮖ
ﮗ
૯૫) અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં,
آية رقم 96
ﮘﮙﮚﮛ
ﮜ
૯૬) અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે,
آية رقم 97
ﮝﮞﮟﮠﮡﮢ
ﮣ
૯૭) કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં.
آية رقم 98
ﮤﮥﮦﮧ
ﮨ
૯૮) જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
آية رقم 99
ﮩﮪﮫﮬ
ﮭ
૯૯) અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા.
آية رقم 100
ﮮﮯﮰﮱ
ﯓ
૧૦૦) હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી.
آية رقم 101
ﯔﯕﯖ
ﯗ
૧૦૧) અને ન તો શુભેચ્છુક મિત્ર.
آية رقم 102
૧૦૨) જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં.
آية رقم 103
૧૦૩) આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
آية رقم 104
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૧૦૪) નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
آية رقم 105
ﯰﯱﯲﯳ
ﯴ
૧૦૫) નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 106
૧૦૬) જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી ?
آية رقم 107
ﯽﯾﯿﰀ
ﰁ
૧૦૭) સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 108
ﰂﰃﰄ
ﰅ
૧૦૮) બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
آية رقم 109
૧૦૯) હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
آية رقم 110
ﰓﰔﰕ
ﰖ
૧૧૦) બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 111
ﰗﰘﰙﰚﰛﰜ
ﰝ
૧૧૧)કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
آية رقم 112
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૧૧૨) પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં?
آية رقم 113
૧૧૩) તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય.
آية رقم 114
ﭡﭢﭣﭤ
ﭥ
૧૧૪) હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
آية رقم 115
ﭦﭧﭨﭩﭪ
ﭫ
૧૧૫) હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
آية رقم 116
૧૧૬) તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
آية رقم 117
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૧૧૭) નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
آية رقم 118
૧૧૮) બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
آية رقم 119
ﮅﮆﮇﮈﮉﮊ
ﮋ
૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
آية رقم 120
ﮌﮍﮎﮏ
ﮐ
૧૨૦) બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
آية رقم 121
૧૨૧)નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
آية رقم 122
ﮛﮜﮝﮞﮟ
ﮠ
૧૨૨) અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ.
آية رقم 123
ﮡﮢﮣ
ﮤ
૧૨૩) આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 124
૧૨૪) જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી ?
آية رقم 125
ﮭﮮﮯﮰ
ﮱ
૧૨૫) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 126
ﯓﯔﯕ
ﯖ
૧૨૬) બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
آية رقم 127
૧૨૭) હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે.
آية رقم 128
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૧૨૮) શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો.
آية رقم 129
ﯪﯫﯬﯭ
ﯮ
૧૨૯) અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
آية رقم 130
ﯯﯰﯱﯲ
ﯳ
૧૩૦) અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો.
آية رقم 131
ﯴﯵﯶ
ﯷ
૧૩૧) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 132
ﯸﯹﯺﯻﯼ
ﯽ
૧૩૨) તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો.
آية رقم 133
ﯾﯿﰀ
ﰁ
૧૩૩) તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા.
آية رقم 134
ﰂﰃ
ﰄ
૧૩૪) બગીચા અને ઝરણાં દ્વારા.
آية رقم 135
ﰅﰆﰇﰈﰉﰊ
ﰋ
૧૩૫) મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે.
آية رقم 136
૧૩૬) તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
آية رقم 137
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૩૭) આ તો જૂના લોકોની આદત છે.
آية رقم 138
ﭗﭘﭙ
ﭚ
૧૩૮) અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે.
آية رقم 139
૧૩૯) જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં.
آية رقم 140
ﭨﭩﭪﭫﭬ
ﭭ
૧૪૦) નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
آية رقم 141
ﭮﭯﭰ
ﭱ
૧૪૧) ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 142
૧૪૨) તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?
آية رقم 143
ﭺﭻﭼﭽ
ﭾ
૧૪૩) હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 144
ﭿﮀﮁ
ﮂ
૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
آية رقم 145
૧૪૫) હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે.
آية رقم 146
ﮐﮑﮒﮓﮔ
ﮕ
૧૪૬) શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે.
آية رقم 147
ﮖﮗﮘ
ﮙ
૧૪૭) એટલે કે આ બગીચાઓ અને ઝરણા,
آية رقم 148
ﮚﮛﮜﮝ
ﮞ
૧૪૮) અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
آية رقم 149
ﮟﮠﮡﮢﮣ
ﮤ
૧૪૯) અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
آية رقم 150
ﮥﮦﮧ
ﮨ
૧૫૦) બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 151
ﮩﮪﮫﮬ
ﮭ
૧૫૧) નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
آية رقم 152
ﮮﮯﮰﮱﯓﯔ
ﯕ
૧૫૨) જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
آية رقم 153
ﯖﯗﯘﯙﯚ
ﯛ
૧૫૩) તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
آية رقم 154
૧૫૪) તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો.
آية رقم 155
૧૫૫) પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો.
آية رقم 156
૧૫૬) (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે.
آية رقم 157
ﯺﯻﯼ
ﯽ
૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી.
آية رقم 158
૧૫૮) અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
آية رقم 159
ﰋﰌﰍﰎﰏ
ﰐ
૧૫૯) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
آية رقم 160
ﭑﭒﭓﭔ
ﭕ
૧૬૦) લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
آية رقم 161
૧૬૧) તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા ?
آية رقم 162
ﭞﭟﭠﭡ
ﭢ
૧૬૨) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 163
ﭣﭤﭥ
ﭦ
૧૬૩) બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 164
૧૬૪) હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
آية رقم 165
ﭴﭵﭶﭷ
ﭸ
૧૬૫) શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો.
آية رقم 166
૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો.
آية رقم 167
૧૬૭) તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
آية رقم 168
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૧૬૮) લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
آية رقم 169
ﮕﮖﮗﮘﮙ
ﮚ
૧૬૯) મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે.
آية رقم 170
ﮛﮜﮝ
ﮞ
૧૭૦) બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા.
آية رقم 171
ﮟﮠﮡﮢ
ﮣ
૧૭૧) એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
آية رقم 172
ﮤﮥﮦ
ﮧ
૧૭૨) પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
آية رقم 173
૧૭૩) અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
آية رقم 174
૧૭૪) આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
آية رقم 175
ﯛﯜﯝﯞﯟ
ﯠ
૧૭૫) નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
آية رقم 176
ﯡﯢﯣﯤ
ﯥ
૧૭૬) અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
آية رقم 177
ﯦﯧﯨﯩﯪﯫ
ﯬ
૧૭૭) જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી.
آية رقم 178
ﯭﯮﯯﯰ
ﯱ
૧૭૮) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 179
ﯲﯳﯴ
ﯵ
૧૭૯) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 180
૧૮૦) હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
آية رقم 181
૧૮૧) માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
آية رقم 182
ﰋﰌﰍ
ﰎ
૧૮૨) અને સાચા ત્રાજવા વડે તોલો.
آية رقم 183
૧૮૩) લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
آية رقم 184
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૮૪) તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
آية رقم 185
ﭗﭘﭙﭚﭛ
ﭜ
૧૮૫) તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે.
آية رقم 186
૧૮૬) અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ.
آية رقم 187
૧૮૭) જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ.
آية رقم 188
ﭱﭲﭳﭴﭵ
ﭶ
૧૮૮) કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો.
آية رقم 189
૧૮૯) કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો.
آية رقم 190
૧૯૦) નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
آية رقم 191
ﮍﮎﮏﮐﮑ
ﮒ
૧૯૧) અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
آية رقم 192
ﮓﮔﮕﮖ
ﮗ
૧૯૨)અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે.
آية رقم 193
ﮘﮙﮚﮛ
ﮜ
૧૯૩) આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે.
آية رقم 194
ﮝﮞﮟﮠﮡ
ﮢ
૧૯૪) તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
آية رقم 195
ﮣﮤﮥ
ﮦ
૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
آية رقم 196
ﮧﮨﮩﮪ
ﮫ
૧૯૬) આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે.
آية رقم 197
૧૯૭) શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે ?
آية رقم 198
ﯗﯘﯙﯚﯛ
ﯜ
૧૯૮) અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા,
آية رقم 199
ﯝﯞﯟﯠﯡﯢ
ﯣ
૧૯૯) બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા.
آية رقم 200
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૦૦) આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું.
آية رقم 201
૨૦૧) તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
آية رقم 202
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૨૦૨) બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
آية رقم 203
ﯸﯹﯺﯻ
ﯼ
૨૦૩) તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે ?
آية رقم 204
ﯽﯾ
ﯿ
૨૦૪) બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે ?
آية رقم 205
ﰀﰁﰂﰃ
ﰄ
૨૦૫) સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ.
آية رقم 206
ﰅﰆﰇﰈﰉ
ﰊ
૨૦૬) પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી.
آية رقم 207
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૨૦૭) તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે.
آية رقم 208
૨૦૮) અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા.
آية رقم 209
ﭠﭡﭢﭣ
ﭤ
૨૦૯) શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી.
آية رقم 210
ﭥﭦﭧﭨ
ﭩ
૨૧૦) આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
آية رقم 211
ﭪﭫﭬﭭﭮ
ﭯ
૨૧૧) તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
آية رقم 212
ﭰﭱﭲﭳ
ﭴ
૨૧૨) પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
آية رقم 213
૨૧૩) બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ.
آية رقم 214
ﭿﮀﮁ
ﮂ
૨૧૪) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
آية رقم 215
ﮃﮄﮅﮆﮇﮈ
ﮉ
૨૧૫) જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
آية رقم 216
૨૧૬) જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
آية رقم 217
ﮒﮓﮔﮕ
ﮖ
૨૧૭) પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ.
آية رقم 218
ﮗﮘﮙﮚ
ﮛ
૨૧૮) જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો.
آية رقم 219
ﮜﮝﮞ
ﮟ
૨૧૯) અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ.
آية رقم 220
ﮠﮡﮢﮣ
ﮤ
૨૨૦) તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે.
آية رقم 221
ﮥﮦﮧﮨﮩﮪ
ﮫ
૨૨૧) શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે ?
آية رقم 222
ﮬﮭﮮﮯﮰ
ﮱ
૨૨૨) તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
آية رقم 223
ﯓﯔﯕﯖ
ﯗ
૨૨૩) અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
آية رقم 224
ﯘﯙﯚ
ﯛ
૨૨૪) કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે.
آية رقم 225
૨૨૫) શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે ?
آية رقم 226
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૨૬) અને તે લોકો જે કહે છે તે કરતા નથી.
آية رقم 227
૨૨૭)ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે.
تقدم القراءة