ترجمة معاني سورة النجم باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﭑﭒﭓ
ﭔ
૧) સોગંદ છે તારાઓના જ્યારે તે પડે.
آية رقم 2
ﭕﭖﭗﭘﭙ
ﭚ
૨) તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.
آية رقم 3
ﭛﭜﭝﭞ
ﭟ
૩) અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે.
آية رقم 4
ﭠﭡﭢﭣﭤ
ﭥ
૪) તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે.
آية رقم 5
ﭦﭧﭨ
ﭩ
૫) (વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે.
آية رقم 6
ﭪﭫﭬ
ﭭ
૬) જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
آية رقم 7
ﭮﭯﭰ
ﭱ
૭) અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.
آية رقم 8
ﭲﭳﭴ
ﭵ
૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.
آية رقم 9
ﭶﭷﭸﭹﭺ
ﭻ
૯) બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી,
آية رقم 10
ﭼﭽﭾﭿﮀ
ﮁ
૧૦) બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ.
آية رقم 11
ﮂﮃﮄﮅﮆ
ﮇ
૧૧) હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ.
آية رقم 12
ﮈﮉﮊﮋ
ﮌ
૧૨) શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે.
آية رقم 13
ﮍﮎﮏﮐ
ﮑ
૧૩) (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.
آية رقم 14
ﮒﮓﮔ
ﮕ
૧૪) સિદરતુલ્ મુન્તહા પાસે.
آية رقم 15
ﮖﮗﮘ
ﮙ
૧૫) તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.
آية رقم 16
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૧૬) જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી.
آية رقم 17
ﮠﮡﮢﮣﮤ
ﮥ
૧૭) ન તો નઝર હટી ન તો હદથી વધી.
آية رقم 18
ﮦﮧﮨﮩﮪﮫ
ﮬ
૧૮) નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.
آية رقم 19
ﮭﮮﮯ
ﮰ
૧૯) શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા ?
آية رقم 20
ﮱﯓﯔ
ﯕ
૨૦) અને મનાત્ જે ત્રીજા છે.
آية رقم 21
ﯖﯗﯘﯙ
ﯚ
૨૧) શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે ?
آية رقم 22
ﯛﯜﯝﯞ
ﯟ
૨૨) આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.
آية رقم 23
૨૩) ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે.
آية رقم 24
ﯼﯽﯾﯿ
ﰀ
૨૪) શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે ?
آية رقم 25
ﰁﰂﰃ
ﰄ
૨૫) અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત.
آية رقم 26
૨૬) અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે.
آية رقم 27
૨૭) નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.
آية رقم 28
૨૮) જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી.
آية رقم 29
૨૯) તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી.
آية رقم 30
૩૦) આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.
آية رقم 31
૩૧) અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.
آية رقم 32
૩૨) તે લોકોને જેઓ મોટા ગુનાહોથી બચે છે અને અશ્ર્લિલતાથી પણ (તેઓને ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,
آية رقم 33
ﯢﯣﯤ
ﯥ
૩૩) શું તમે તેને જોયો જેણે મોઢું ફેરવી લીધું ?
آية رقم 34
ﯦﯧﯨ
ﯩ
૩૪) ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.
آية رقم 35
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૩૫) શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે ?
آية رقم 36
૩૬) શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના,
آية رقم 37
ﯸﯹﯺ
ﯻ
૩૭) અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું,
آية رقم 38
ﯼﯽﯾﯿﰀ
ﰁ
૩૮) કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.
آية رقم 39
ﰂﰃﰄﰅﰆﰇ
ﰈ
૩૯) અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.
آية رقم 40
ﰉﰊﰋﰌ
ﰍ
૪૦) અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.
آية رقم 41
ﰎﰏﰐﰑ
ﰒ
૪૧) પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.
آية رقم 42
ﰓﰔﰕﰖ
ﰗ
૪૨) અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.
آية رقم 43
ﰘﰙﰚﰛ
ﰜ
૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.
آية رقم 44
ﰝﰞﰟﰠ
ﰡ
૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.
آية رقم 45
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૪૫) અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.
آية رقم 46
ﭗﭘﭙﭚ
ﭛ
૪૬) ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે.
آية رقم 47
ﭜﭝﭞﭟ
ﭠ
૪૭) અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.
آية رقم 48
ﭡﭢﭣﭤ
ﭥ
૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે.
آية رقم 49
ﭦﭧﭨﭩ
ﭪ
૪૯) અને એ કે તે જ તારાઓનો રબ છે.
آية رقم 50
ﭫﭬﭭﭮ
ﭯ
૫૦) અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.
آية رقم 51
ﭰﭱﭲ
ﭳ
૫૧) અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો.
آية رقم 52
૫૨) અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા.
آية رقم 53
ﭿﮀ
ﮁ
૫૩) અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી.
آية رقم 54
ﮂﮃﮄ
ﮅ
૫૪) પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ).
آية رقم 55
ﮆﮇﮈﮉ
ﮊ
૫૫) બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ.
آية رقم 56
ﮋﮌﮍﮎﮏ
ﮐ
૫૬) આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી.
آية رقم 57
ﮑﮒ
ﮓ
૫૭) કયામત નજીક આવી ગઇ.
آية رقم 58
ﮔﮕﮖﮗﮘﮙ
ﮚ
૫૮) અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી.
آية رقم 59
ﮛﮜﮝﮞ
ﮟ
૫૯) બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.
آية رقم 60
ﮠﮡﮢ
ﮣ
૬૦) અને હસો છો. રડતા નથી.
آية رقم 61
ﮤﮥ
ﮦ
૬૧) (પરંતુ) તમે રમી રહ્યા છો.
آية رقم 62
ﮧﮨﮩﮪ
ﮫ
૬૨) હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો.
تقدم القراءة