سورة الصافات

الترجمة الغوجراتية

ترجمة معاني سورة الصافات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.
آية رقم 2
૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.
آية رقم 3
૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.
آية رقم 4
૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.
آية رقم 5
૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
آية رقم 6
૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
آية رقم 7
૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
آية رقم 9
૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.
آية رقم 10
૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
آية رقم 12
૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
آية رقم 13
૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.
آية رقم 14
૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.
آية رقم 15
૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
آية رقم 16
૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?
آية رقم 17
૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?
آية رقم 18
૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.
آية رقم 19
૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.
آية رقم 20
૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.
آية رقم 21
૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.
آية رقم 22
૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,
آية رقم 23
૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
آية رقم 24
૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.
آية رقم 25
૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.
آية رقم 26
૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.
آية رقم 27
૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
آية رقم 28
૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
آية رقم 29
૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.
૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
آية رقم 31
૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.
آية رقم 32
૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.
آية رقم 33
૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.
آية رقم 34
૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.
آية رقم 36
૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?
آية رقم 37
૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.
آية رقم 38
૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.
آية رقم 39
૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
آية رقم 40
૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).
آية رقم 41
૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.
آية رقم 42
૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
آية رقم 43
૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,
آية رقم 44
૪૪) આસનો પર એકબીજાની સામે હશે.
آية رقم 45
૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
آية رقم 46
૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
آية رقم 47
૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
آية رقم 48
૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
آية رقم 49
૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,
آية رقم 50
૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
آية رقم 51
૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,
آية رقم 52
૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?
آية رقم 53
૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?
آية رقم 54
૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?
آية رقم 55
૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
آية رقم 56
૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
آية رقم 57
૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
آية رقم 58
૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?
آية رقم 59
૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.
آية رقم 60
૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.
آية رقم 61
૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
آية رقم 62
૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?
آية رقم 63
૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.
آية رقم 64
૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
آية رقم 65
૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
آية رقم 66
૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.
آية رقم 67
૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
آية رقم 68
૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.
آية رقم 69
૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.
آية رقم 70
૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
آية رقم 71
૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.
آية رقم 72
૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.
آية رقم 73
૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
آية رقم 74
૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,
آية رقم 75
૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
آية رقم 76
૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
آية رقم 77
૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.
آية رقم 78
૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
آية رقم 79
૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
آية رقم 80
૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 81
૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 82
૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.
آية رقم 83
૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.
آية رقم 84
૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.
آية رقم 85
૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?
آية رقم 86
૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?
آية رقم 87
૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?
آية رقم 88
૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.
آية رقم 89
૮૯)અને કહ્યું કે હું બિમાર છું.
آية رقم 90
૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
آية رقم 91
૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?
آية رقم 92
૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
آية رقم 93
૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.
آية رقم 94
૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.
آية رقم 95
૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.
آية رقم 96
૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
آية رقم 97
૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
آية رقم 98
૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
آية رقم 99
૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
آية رقم 100
૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,
آية رقم 101
૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.
૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
آية رقم 103
૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,
آية رقم 104
૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !
آية رقم 105
૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 106
૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
آية رقم 107
૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
آية رقم 108
૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
آية رقم 109
૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.
آية رقم 110
૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 111
૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 112
૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.
૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
آية رقم 114
૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.
آية رقم 115
૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.
آية رقم 116
૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
آية رقم 117
૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
آية رقم 118
૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
آية رقم 119
૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.
آية رقم 120
૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,
آية رقم 121
૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 122
૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 123
૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.
آية رقم 124
૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?
آية رقم 125
૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
آية رقم 126
૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
آية رقم 127
૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.
آية رقم 128
૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.
آية رقم 129
૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
آية رقم 130
૧૩૦) ઇલ્યાસ પર સલામ,
آية رقم 131
૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 132
૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
آية رقم 133
૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,
آية رقم 134
૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,
آية رقم 135
૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
آية رقم 136
૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
آية رقم 137
૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.
آية رقم 138
૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?
آية رقم 139
૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.
آية رقم 140
૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
آية رقم 141
૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
آية رقم 142
૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
آية رقم 143
૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
آية رقم 144
૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.
آية رقم 145
૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
آية رقم 146
૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
آية رقم 147
૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.
آية رقم 148
૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
آية رقم 149
૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
آية رقم 150
૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?
آية رقم 151
૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
آية رقم 152
૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
آية رقم 153
૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?
آية رقم 154
૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?
آية رقم 155
૧૫૫) શું તમે સમજતા પણ નથી ?
آية رقم 156
૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?
آية رقم 157
૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.
آية رقم 159
૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
آية رقم 160
૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.
آية رقم 161
૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
آية رقم 162
૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.
آية رقم 163
૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.
آية رقم 164
૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
آية رقم 165
૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
آية رقم 166
૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.
آية رقم 167
૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,
آية رقم 168
૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,
آية رقم 169
૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
آية رقم 170
૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.
آية رقم 171
૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.
آية رقم 172
૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
آية رقم 173
૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
آية رقم 174
૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
آية رقم 175
૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
آية رقم 176
૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?
آية رقم 177
૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
آية رقم 178
૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
آية رقم 179
૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
آية رقم 180
૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.
آية رقم 181
૧૮૧) પયગંબરો પર સલામ છે.
آية رقم 182
૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
تقدم القراءة