ترجمة معاني سورة الصافات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﭑﭒ
ﭓ
૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.
آية رقم 2
ﭔﭕ
ﭖ
૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.
آية رقم 3
ﭗﭘ
ﭙ
૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.
آية رقم 4
ﭚﭛﭜ
ﭝ
૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.
آية رقم 5
૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
آية رقم 6
ﭦﭧﭨﭩﭪﭫ
ﭬ
૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
آية رقم 7
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
آية رقم 8
૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
آية رقم 9
ﭽﭾﭿﮀﮁ
ﮂ
૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.
آية رقم 10
૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
آية رقم 11
૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
آية رقم 12
ﮙﮚﮛ
ﮜ
૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
آية رقم 13
ﮝﮞﮟﮠ
ﮡ
૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.
آية رقم 14
ﮢﮣﮤﮥ
ﮦ
૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.
آية رقم 15
ﮧﮨﮩﮪﮫﮬ
ﮭ
૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
آية رقم 16
૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?
آية رقم 17
ﯗﯘ
ﯙ
૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?
آية رقم 18
ﯚﯛﯜﯝ
ﯞ
૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.
آية رقم 19
૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.
آية رقم 20
ﯧﯨﯩﯪﯫ
ﯬ
૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.
آية رقم 21
૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.
آية رقم 22
૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,
آية رقم 23
૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
آية رقم 24
ﰆﰇﰈﰉ
ﰊ
૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.
آية رقم 25
ﭑﭒﭓﭔ
ﭕ
૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.
آية رقم 26
ﭖﭗﭘﭙ
ﭚ
૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.
آية رقم 27
ﭛﭜﭝﭞﭟ
ﭠ
૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
آية رقم 28
ﭡﭢﭣﭤﭥﭦ
ﭧ
૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
آية رقم 29
ﭨﭩﭪﭫﭬ
ﭭ
૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.
آية رقم 30
૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
آية رقم 31
૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.
آية رقم 32
ﮂﮃﮄﮅ
ﮆ
૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.
آية رقم 33
ﮇﮈﮉﮊﮋ
ﮌ
૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.
آية رقم 34
ﮍﮎﮏﮐ
ﮑ
૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
آية رقم 35
૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.
آية رقم 36
ﮝﮞﮟﮠﮡﮢ
ﮣ
૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?
آية رقم 37
ﮤﮥﮦﮧﮨ
ﮩ
૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.
آية رقم 38
ﮪﮫﮬﮭ
ﮮ
૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.
آية رقم 39
ﮯﮰﮱﯓﯔﯕ
ﯖ
૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
آية رقم 40
ﯗﯘﯙﯚ
ﯛ
૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).
آية رقم 41
ﯜﯝﯞﯟ
ﯠ
૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.
آية رقم 42
ﯡﯢﯣ
ﯤ
૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
آية رقم 43
ﯥﯦﯧ
ﯨ
૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,
آية رقم 44
ﯩﯪﯫ
ﯬ
૪૪) આસનો પર એકબીજાની સામે હશે.
آية رقم 45
ﯭﯮﯯﯰﯱ
ﯲ
૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
آية رقم 46
ﯳﯴﯵ
ﯶ
૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
آية رقم 47
૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
آية رقم 48
ﯿﰀﰁﰂ
ﰃ
૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
آية رقم 49
ﰄﰅﰆ
ﰇ
૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,
آية رقم 50
ﰈﰉﰊﰋﰌ
ﰍ
૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
آية رقم 51
૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,
آية رقم 52
ﭑﭒﭓﭔ
ﭕ
૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?
آية رقم 53
૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?
آية رقم 54
ﭞﭟﭠﭡ
ﭢ
૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?
آية رقم 55
ﭣﭤﭥﭦﭧ
ﭨ
૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
آية رقم 56
ﭩﭪﭫﭬﭭ
ﭮ
૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
آية رقم 57
ﭯﭰﭱﭲﭳﭴ
ﭵ
૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
آية رقم 58
ﭶﭷﭸ
ﭹ
૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?
آية رقم 59
ﭺﭻﭼﭽﭾﭿ
ﮀ
૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.
آية رقم 60
ﮁﮂﮃﮄﮅ
ﮆ
૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.
آية رقم 61
ﮇﮈﮉﮊ
ﮋ
૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
آية رقم 62
ﮌﮍﮎﮏﮐﮑ
ﮒ
૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?
آية رقم 63
ﮓﮔﮕﮖ
ﮗ
૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.
آية رقم 64
ﮘﮙﮚﮛﮜﮝ
ﮞ
૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
آية رقم 65
ﮟﮠﮡﮢ
ﮣ
૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
آية رقم 66
ﮤﮥﮦﮧﮨﮩ
ﮪ
૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.
آية رقم 67
૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
آية رقم 68
ﯔﯕﯖﯗﯘ
ﯙ
૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.
آية رقم 69
ﯚﯛﯜﯝ
ﯞ
૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.
آية رقم 70
ﯟﯠﯡﯢ
ﯣ
૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
آية رقم 71
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.
آية رقم 72
ﯪﯫﯬﯭ
ﯮ
૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.
آية رقم 73
ﯯﯰﯱﯲﯳ
ﯴ
૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
آية رقم 74
ﯵﯶﯷﯸ
ﯹ
૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,
آية رقم 75
ﯺﯻﯼﯽﯾ
ﯿ
૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
آية رقم 76
ﰀﰁﰂﰃﰄ
ﰅ
૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
آية رقم 77
ﭑﭒﭓﭔ
ﭕ
૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.
آية رقم 78
ﭖﭗﭘﭙ
ﭚ
૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
آية رقم 79
ﭛﭜﭝﭞﭟ
ﭠ
૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
آية رقم 80
ﭡﭢﭣﭤ
ﭥ
૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 81
ﭦﭧﭨﭩ
ﭪ
૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 82
ﭫﭬﭭ
ﭮ
૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.
آية رقم 83
ﭯﭰﭱﭲﭳ
ﭴ
૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.
آية رقم 84
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.
آية رقم 85
ﭻﭼﭽﭾﭿﮀ
ﮁ
૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?
آية رقم 86
ﮂﮃﮄﮅﮆ
ﮇ
૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?
آية رقم 87
ﮈﮉﮊﮋ
ﮌ
૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?
آية رقم 88
ﮍﮎﮏﮐ
ﮑ
૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.
آية رقم 89
ﮒﮓﮔ
ﮕ
૮૯)અને કહ્યું કે હું બિમાર છું.
آية رقم 90
ﮖﮗﮘ
ﮙ
૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
آية رقم 91
ﮚﮛﮜﮝﮞﮟ
ﮠ
૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?
آية رقم 92
ﮡﮢﮣﮤ
ﮥ
૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
آية رقم 93
ﮦﮧﮨﮩ
ﮪ
૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.
آية رقم 94
ﮫﮬﮭ
ﮮ
૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.
آية رقم 95
ﮯﮰﮱﯓ
ﯔ
૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.
آية رقم 96
ﯕﯖﯗﯘ
ﯙ
૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
آية رقم 97
૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
آية رقم 98
ﯢﯣﯤﯥﯦ
ﯧ
૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
آية رقم 99
ﯨﯩﯪﯫﯬﯭ
ﯮ
૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
آية رقم 100
ﯯﯰﯱﯲﯳ
ﯴ
૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,
آية رقم 101
ﯵﯶﯷ
ﯸ
૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.
آية رقم 102
૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
آية رقم 103
ﭑﭒﭓﭔ
ﭕ
૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,
آية رقم 104
ﭖﭗﭘ
ﭙ
૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !
آية رقم 105
૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 106
ﭣﭤﭥﭦﭧ
ﭨ
૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
آية رقم 107
ﭩﭪﭫ
ﭬ
૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
آية رقم 108
ﭭﭮﭯﭰ
ﭱ
૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
آية رقم 109
ﭲﭳﭴ
ﭵ
૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.
آية رقم 110
ﭶﭷﭸ
ﭹ
૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 111
ﭺﭻﭼﭽ
ﭾ
૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 112
ﭿﮀﮁﮂﮃ
ﮄ
૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.
آية رقم 113
૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
آية رقم 114
ﮑﮒﮓﮔﮕ
ﮖ
૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.
آية رقم 115
ﮗﮘﮙﮚﮛ
ﮜ
૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.
آية رقم 116
ﮝﮞﮟﮠ
ﮡ
૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
آية رقم 117
ﮢﮣﮤ
ﮥ
૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
آية رقم 118
ﮦﮧﮨ
ﮩ
૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
آية رقم 119
ﮪﮫﮬﮭ
ﮮ
૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.
آية رقم 120
ﮯﮰﮱﯓ
ﯔ
૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,
آية رقم 121
ﯕﯖﯗﯘ
ﯙ
૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 122
ﯚﯛﯜﯝ
ﯞ
૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
آية رقم 123
ﯟﯠﯡﯢ
ﯣ
૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.
آية رقم 124
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?
آية رقم 125
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
آية رقم 126
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
آية رقم 127
ﭑﭒﭓ
ﭔ
૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.
آية رقم 128
ﭕﭖﭗﭘ
ﭙ
૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.
آية رقم 129
ﭚﭛﭜﭝ
ﭞ
૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
آية رقم 130
ﭟﭠﭡﭢ
ﭣ
૧૩૦) ઇલ્યાસ પર સલામ,
آية رقم 131
ﭤﭥﭦﭧ
ﭨ
૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 132
ﭩﭪﭫﭬ
ﭭ
૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
آية رقم 133
ﭮﭯﭰﭱ
ﭲ
૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,
آية رقم 134
ﭳﭴﭵﭶ
ﭷ
૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,
آية رقم 135
ﭸﭹﭺﭻ
ﭼ
૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
آية رقم 136
ﭽﭾﭿ
ﮀ
૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
آية رقم 137
ﮁﮂﮃﮄ
ﮅ
૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.
آية رقم 138
ﮆﮇﮈﮉ
ﮊ
૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?
آية رقم 139
ﮋﮌﮍﮎ
ﮏ
૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.
آية رقم 140
ﮐﮑﮒﮓﮔ
ﮕ
૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
آية رقم 141
ﮖﮗﮘﮙ
ﮚ
૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
آية رقم 142
ﮛﮜﮝﮞ
ﮟ
૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
آية رقم 143
ﮠﮡﮢﮣﮤ
ﮥ
૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
آية رقم 144
ﮦﮧﮨﮩﮪﮫ
ﮬ
૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.
آية رقم 145
ﮭﮮﮯﮰﮱ
ﯓ
૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
آية رقم 146
ﯔﯕﯖﯗﯘ
ﯙ
૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
آية رقم 147
ﯚﯛﯜﯝﯞﯟ
ﯠ
૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.
آية رقم 148
ﯡﯢﯣﯤ
ﯥ
૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
آية رقم 149
ﯦﯧﯨﯩﯪ
ﯫ
૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
آية رقم 150
ﯬﯭﯮﯯﯰﯱ
ﯲ
૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?
آية رقم 151
ﯳﯴﯵﯶﯷ
ﯸ
૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
آية رقم 152
ﯹﯺﯻﯼ
ﯽ
૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
آية رقم 153
ﯾﯿﰀﰁ
ﰂ
૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?
آية رقم 154
ﭑﭒﭓﭔ
ﭕ
૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?
آية رقم 155
ﭖﭗ
ﭘ
૧૫૫) શું તમે સમજતા પણ નથી ?
آية رقم 156
ﭙﭚﭛﭜ
ﭝ
૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?
آية رقم 157
ﭞﭟﭠﭡﭢ
ﭣ
૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
آية رقم 158
૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.
آية رقم 159
ﭰﭱﭲﭳ
ﭴ
૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
آية رقم 160
ﭵﭶﭷﭸ
ﭹ
૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.
آية رقم 161
ﭺﭻﭼ
ﭽ
૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
آية رقم 162
ﭾﭿﮀﮁ
ﮂ
૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.
آية رقم 163
ﮃﮄﮅﮆﮇ
ﮈ
૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.
آية رقم 164
ﮉﮊﮋﮌﮍﮎ
ﮏ
૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
آية رقم 165
ﮐﮑﮒ
ﮓ
૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
آية رقم 166
ﮔﮕﮖ
ﮗ
૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.
آية رقم 167
ﮘﮙﮚ
ﮛ
૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,
آية رقم 168
ﮜﮝﮞﮟﮠﮡ
ﮢ
૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,
آية رقم 169
ﮣﮤﮥﮦ
ﮧ
૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
آية رقم 170
ﮨﮩﮪﮫﮬ
ﮭ
૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.
آية رقم 171
ﮮﮯﮰﮱﯓ
ﯔ
૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.
آية رقم 172
ﯕﯖﯗ
ﯘ
૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
آية رقم 173
ﯙﯚﯛﯜ
ﯝ
૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
آية رقم 174
ﯞﯟﯠﯡ
ﯢ
૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
آية رقم 175
ﯣﯤﯥ
ﯦ
૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
آية رقم 176
ﯧﯨ
ﯩ
૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?
آية رقم 177
ﯪﯫﯬﯭﯮﯯ
ﯰ
૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
آية رقم 178
ﯱﯲﯳﯴ
ﯵ
૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
آية رقم 179
ﯶﯷﯸ
ﯹ
૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
آية رقم 180
ﯺﯻﯼﯽﯾﯿ
ﰀ
૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.
آية رقم 181
ﰁﰂﰃ
ﰄ
૧૮૧) પયગંબરો પર સલામ છે.
آية رقم 182
ﰅﰆﰇﰈ
ﰉ
૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
تقدم القراءة