سورة النازعات

الترجمة الغوجراتية

ترجمة معاني سورة النازعات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
آية رقم 2
૨) બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
آية رقم 3
૩) અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
آية رقم 4
૪) પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
آية رقم 5
૫) પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
آية رقم 6
૬) જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
آية رقم 7
૭) ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
آية رقم 8
૮) (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
آية رقم 9
૯) તેમની આંખો ઝુકેલી હશે.
آية رقم 10
૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
آية رقم 11
૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
آية رقم 12
૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
آية رقم 13
૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
آية رقم 14
૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
آية رقم 15
૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
آية رقم 16
૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
آية رقم 17
૧૭) (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
آية رقم 18
૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
آية رقم 19
૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
آية رقم 20
૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
آية رقم 21
૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
آية رقم 22
૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
آية رقم 23
૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
آية رقم 24
૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
آية رقم 25
૨૫) તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો.
آية رقم 26
૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
آية رقم 27
૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
آية رقم 28
૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
آية رقم 29
૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
آية رقم 30
૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
آية رقم 31
૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
آية رقم 32
૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
آية رقم 33
૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
آية رقم 34
૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
آية رقم 35
૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
آية رقم 36
૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
آية رقم 37
૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
آية رقم 38
૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
آية رقم 39
૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
آية رقم 41
૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.
آية رقم 42
૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે.
آية رقم 43
૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
آية رقم 44
૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે.
آية رقم 45
૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.
૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે.
تقدم القراءة