ترجمة معاني سورة النازعات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﮢﮣ
ﮤ
૧) ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
آية رقم 2
ﮥﮦ
ﮧ
૨) બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
آية رقم 3
ﮨﮩ
ﮪ
૩) અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
آية رقم 4
ﮫﮬ
ﮭ
૪) પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
آية رقم 5
ﮮﮯ
ﮰ
૫) પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
آية رقم 6
ﮱﯓﯔ
ﯕ
૬) જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
آية رقم 7
ﯖﯗ
ﯘ
૭) ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
آية رقم 8
ﯙﯚﯛ
ﯜ
૮) (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
آية رقم 9
ﯝﯞ
ﯟ
૯) તેમની આંખો ઝુકેલી હશે.
آية رقم 10
ﯠﯡﯢﯣﯤ
ﯥ
૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
آية رقم 11
ﯦﯧﯨﯩ
ﯪ
૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
آية رقم 12
ﯫﯬﯭﯮﯯ
ﯰ
૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
آية رقم 13
ﯱﯲﯳﯴ
ﯵ
૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
آية رقم 14
ﯶﯷﯸ
ﯹ
૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
آية رقم 15
ﯺﯻﯼﯽ
ﯾ
૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
آية رقم 16
ﯿﰀﰁﰂﰃﰄ
ﰅ
૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
آية رقم 17
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૭) (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
آية رقم 18
ﭗﭘﭙﭚﭛﭜ
ﭝ
૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
آية رقم 19
ﭞﭟﭠﭡ
ﭢ
૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
آية رقم 20
ﭣﭤﭥ
ﭦ
૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
آية رقم 21
ﭧﭨ
ﭩ
૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
آية رقم 22
ﭪﭫﭬ
ﭭ
૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
آية رقم 23
ﭮﭯ
ﭰ
૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
آية رقم 24
ﭱﭲﭳﭴ
ﭵ
૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
آية رقم 25
ﭶﭷﭸﭹﭺ
ﭻ
૨૫) તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો.
آية رقم 26
ﭼﭽﭾﭿﮀﮁ
ﮂ
૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
آية رقم 27
૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
آية رقم 28
ﮋﮌﮍ
ﮎ
૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
آية رقم 29
ﮏﮐﮑﮒ
ﮓ
૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
آية رقم 30
ﮔﮕﮖﮗ
ﮘ
૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
آية رقم 31
ﮙﮚﮛﮜ
ﮝ
૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
آية رقم 32
ﮞﮟ
ﮠ
૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
آية رقم 33
ﮡﮢﮣ
ﮤ
૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
آية رقم 34
ﮥﮦﮧﮨ
ﮩ
૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
آية رقم 35
ﮪﮫﮬﮭﮮ
ﮯ
૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
آية رقم 36
ﮰﮱﯓﯔ
ﯕ
૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
آية رقم 37
ﯖﯗﯘ
ﯙ
૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
آية رقم 38
ﯚﯛﯜ
ﯝ
૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
آية رقم 39
ﯞﯟﯠﯡ
ﯢ
૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
آية رقم 40
૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
آية رقم 41
ﯭﯮﯯﯰ
ﯱ
૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.
آية رقم 42
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે.
آية رقم 43
ﯸﯹﯺﯻ
ﯼ
૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
آية رقم 44
ﯽﯾﯿ
ﰀ
૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે.
آية رقم 45
ﰁﰂﰃﰄﰅ
ﰆ
૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.
آية رقم 46
૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે.
تقدم القراءة