سورة الحاقة

الترجمة الغوجراتية

ترجمة معاني سورة الحاقة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) સાબિત થવાવાળી
آية رقم 2
૨) સાબિત થવાવાળી શું છે ?
آية رقم 3
૩) અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
آية رقم 4
૪) તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી.
آية رقم 5
૫) (જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
آية رقم 6
૬) અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
૭) જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
آية رقم 8
૮) શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે ?
آية رقم 9
૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો.
آية رقم 10
૧૦) અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
آية رقم 11
૧૧) જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા.
آية رقم 12
૧૨) જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
آية رقم 13
૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
آية رقم 14
૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
آية رقم 15
૧૫) તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે.
آية رقم 16
૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે.
آية رقم 18
૧૮) તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
૧૯) તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”.
آية رقم 20
૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ.
آية رقم 21
૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
آية رقم 22
૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
آية رقم 23
૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
آية رقم 24
૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
آية رقم 26
૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
آية رقم 27
૨૭) કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત.
آية رقم 28
૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
آية رقم 29
૨૯) મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી.
آية رقم 30
૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
آية رقم 31
૩૧) પછી તેને દોઝખમાં નાખી દો.
آية رقم 32
૩૨) પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે.
آية رقم 33
૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
آية رقم 34
૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
آية رقم 35
૩૫) બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે.
آية رقم 36
૩૬) અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે.
آية رقم 37
૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
آية رقم 38
૩૮) બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો.
آية رقم 39
૩૯) અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા.
آية رقم 40
૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે.
آية رقم 41
૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
آية رقم 42
૪૨) અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
آية رقم 43
૪૩) (આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે.
آية رقم 44
૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત.
آية رقم 45
૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
آية رقم 46
૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
آية رقم 47
૪૭) પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત.
آية رقم 48
૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
آية رقم 49
૪૯) અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
آية رقم 50
૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
آية رقم 51
૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે.
آية رقم 52
૫૨) બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર.
تقدم القراءة