ترجمة معاني سورة المدّثر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﮪﮫ
ﮬ
૧) હે ચાદર ઓઢનાર !
آية رقم 2
ﮭﮮ
ﮯ
૨) રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું,
آية رقم 3
ﮰﮱ
ﯓ
૩) અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો.
آية رقم 4
ﯔﯕ
ﯖ
૪) અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર.
آية رقم 5
ﯗﯘ
ﯙ
૫) નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું.
آية رقم 6
ﯚﯛﯜ
ﯝ
૬) નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે.
آية رقم 7
ﯞﯟ
ﯠ
૭) હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે.
آية رقم 8
ﯡﯢﯣﯤ
ﯥ
૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો.
آية رقم 9
ﯦﯧﯨﯩ
ﯪ
૯) પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો.
آية رقم 10
ﯫﯬﯭﯮ
ﯯ
૧૦) અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
آية رقم 11
ﯰﯱﯲﯳ
ﯴ
૧૧) મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
آية رقم 12
ﯵﯶﯷﯸ
ﯹ
૧૨) નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે.
آية رقم 13
ﯺﯻ
ﯼ
૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે.
آية رقم 14
ﯽﯾﯿ
ﰀ
૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
آية رقم 15
ﰁﰂﰃﰄ
ﰅ
૧૫) નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા.
آية رقم 16
ﰆﰇﰈﰉﰊﰋ
ﰌ
૧૬) તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા.
آية رقم 17
ﰍﰎ
ﰏ
૧૭) જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે.
آية رقم 18
ﰐﰑﰒ
ﰓ
૧૮) જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે.
آية رقم 19
ﭑﭒﭓ
ﭔ
૧૯) નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં.
آية رقم 20
ﭕﭖﭗﭘ
ﭙ
૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.
آية رقم 21
ﭚﭛ
ﭜ
૨૧) તેણે ફરી જોયુ.
آية رقم 22
ﭝﭞﭟ
ﭠ
૨૨) પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ.
آية رقم 23
ﭡﭢﭣ
ﭤ
૨૩) પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ.
آية رقم 24
ﭥﭦﭧﭨﭩﭪ
ﭫ
૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે.
آية رقم 25
ﭬﭭﭮﭯﭰ
ﭱ
૨૫) માનવીના કથન સિવાય કશું જ નથી.
آية رقم 26
ﭲﭳ
ﭴ
૨૬) હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
آية رقم 27
ﭵﭶﭷﭸ
ﭹ
૨૭) અને તને શું ખબર કે જહન્નમ શું છે ?
آية رقم 28
ﭺﭻﭼﭽ
ﭾ
૨૮) ન તે બાકી રાખે છે ન છોડે છે.
آية رقم 29
ﭿﮀ
ﮁ
૨૯) ચામડીને બાળી નાખે છે.
آية رقم 30
ﮂﮃﮄ
ﮅ
૩૦) અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
૩૧) અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે.
آية رقم 32
ﯥﯦ
ﯧ
૩૨) સાચું કહું છું સોગંદ છે ચંદ્રના.
آية رقم 33
ﯨﯩﯪ
ﯫ
૩૩) અને રાત્રિના જ્યારે તે પાછી ફરે.
آية رقم 34
ﯬﯭﯮ
ﯯ
૩૪) અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
آية رقم 35
ﯰﯱﯲ
ﯳ
૩૫) કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
آية رقم 36
ﯴﯵ
ﯶ
૩૬) આદમની સંતાનને ચેતવણી આપનારી.
آية رقم 37
૩૭) (એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે.
آية رقم 38
ﯿﰀﰁﰂﰃ
ﰄ
૩૮) દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે.
آية رقم 39
ﰅﰆﰇ
ﰈ
૩૯) પરંતુ જમણા હાથવાળા.
آية رقم 40
ﰉﰊﰋ
ﰌ
૪૦) કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી.
آية رقم 41
ﰍﰎ
ﰏ
૪૧) પ્રશ્ર્ન કરતા હશે.
آية رقم 42
ﰐﰑﰒﰓ
ﰔ
૪૨) તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા.
آية رقم 43
ﰕﰖﰗﰘﰙ
ﰚ
૪૩) તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
آية رقم 44
ﰛﰜﰝﰞ
ﰟ
૪૪) ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
آية رقم 45
ﰠﰡﰢﰣ
ﰤ
૪૫) અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં.
آية رقم 46
ﰥﰦﰧﰨ
ﰩ
૪૬) અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
آية رقم 47
ﰪﰫﰬ
ﰭ
૪૭) અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા.
آية رقم 48
ﭑﭒﭓﭔ
ﭕ
૪૮) બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે.
آية رقم 49
ﭖﭗﭘﭙﭚ
ﭛ
૪૯) તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
آية رقم 50
ﭜﭝﭞ
ﭟ
૫૦) જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે.
آية رقم 51
ﭠﭡﭢ
ﭣ
૫૧) જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
آية رقم 52
૫૨) પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે.
آية رقم 53
ﭮﭯﭰﭱﭲﭳ
ﭴ
૫૩) કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે.
آية رقم 54
ﭵﭶﭷ
ﭸ
૫૪) સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
آية رقم 55
ﭹﭺﭻ
ﭼ
૫૫) હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે.
آية رقم 56
૫૬) અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં.
تقدم القراءة