سورة المرسلات

الترجمة الغوجراتية

ترجمة معاني سورة المرسلات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ.
آية رقم 2
૨) પછી તીવ્ર હવાઓના સોગંદ.
آية رقم 3
૩) પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ.
آية رقم 4
૪) પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર.
آية رقم 5
૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.
آية رقم 6
૬) જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
آية رقم 7
૭) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે.
آية رقم 8
૮) બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે.
آية رقم 9
૯) અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે.
آية رقم 10
૧૦) અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
آية رقم 11
૧૧) અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
آية رقم 12
૧૨) કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે ?
آية رقم 13
૧૩) નિર્ણયના દિવસ માટે
آية رقم 14
૧૪) અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?
آية رقم 15
૧૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
آية رقم 16
૧૬) શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ?
آية رقم 17
૧૭) ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા.
آية رقم 18
૧૮) અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
آية رقم 19
૧૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 20
૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા.
آية رقم 21
૨૧) પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો.
آية رقم 22
૨૨) એક નક્કી કરેલ સમય સુધી.
آية رقم 23
૨૩) પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
آية رقم 24
૨૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 25
૨૫) શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી ?
آية رقم 26
૨૬) જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
آية رقم 27
૨૭) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
آية رقم 28
૨૮) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 29
૨૯) તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા.
آية رقم 30
૩૦) ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
آية رقم 31
૩૧) જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે.
آية رقم 32
૩૨) નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે.
آية رقم 33
૩૩) જાણે કે તે પીળા ઊંટો છે.
آية رقم 34
૩૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 35
૩૫) આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે.
آية رقم 36
૩૬) ન તેમને તક આપવામાં આવશે.
آية رقم 37
૩૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 38
૩૮) આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
آية رقم 39
૩૯) બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
آية رقم 40
૪૦) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 41
૪૧) નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે.
آية رقم 42
૪૨) અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે.
آية رقم 43
૪૩) (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં.
آية رقم 44
૪૪) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
آية رقم 45
૪૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 46
૪૬) (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો.
آية رقم 47
૪૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 48
૪૮) તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા.
آية رقم 49
૪૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
آية رقم 50
૫૦) હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો ?
تقدم القراءة