ترجمة معاني سورة النبأ باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﭑﭒ
ﭓ
૧) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે.
آية رقم 2
ﭔﭕﭖ
ﭗ
૨) તે મોટી સુચના બાબત વિશે.
آية رقم 3
ﭘﭙﭚﭛ
ﭜ
૩) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે.
آية رقم 4
ﭝﭞ
ﭟ
૪) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
آية رقم 5
ﭠﭡﭢ
ﭣ
૫) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
آية رقم 6
ﭤﭥﭦﭧ
ﭨ
૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?
آية رقم 7
ﭩﭪ
ﭫ
૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)
آية رقم 8
ﭬﭭ
ﭮ
૮) અને અમે તમને જોડકામાં પેદા કર્યા.
آية رقم 9
ﭯﭰﭱ
ﭲ
૯) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી.
آية رقم 10
ﭳﭴﭵ
ﭶ
૧૦) અને રાતને અમે પરદો બનાવ્યો છે.
آية رقم 11
ﭷﭸﭹ
ﭺ
૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.
آية رقم 12
ﭻﭼﭽﭾ
ﭿ
૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા.
آية رقم 13
ﮀﮁﮂ
ﮃ
૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
آية رقم 14
ﮄﮅﮆﮇﮈ
ﮉ
૧૪) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો.
آية رقم 15
ﮊﮋﮌﮍ
ﮎ
૧૫) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે.
آية رقم 16
ﮏﮐ
ﮑ
૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
آية رقم 17
ﮒﮓﮔﮕﮖ
ﮗ
૧૭) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે.
آية رقم 18
ﮘﮙﮚﮛﮜﮝ
ﮞ
૧૮) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો.
آية رقم 19
ﮟﮠﮡﮢ
ﮣ
૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે. તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
آية رقم 20
ﮤﮥﮦﮧ
ﮨ
૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે.
آية رقم 21
ﮩﮪﮫﮬ
ﮭ
૨૧) નિ:શંક દોઝખ ઘાતમાં છે.
آية رقم 22
ﮮﮯ
ﮰ
૨૨) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે.
آية رقم 23
ﮱﯓﯔ
ﯕ
૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે.
آية رقم 24
ﯖﯗﯘﯙﯚﯛ
ﯜ
૨૪) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે.
آية رقم 25
ﯝﯞﯟ
ﯠ
૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
آية رقم 26
ﯡﯢ
ﯣ
૨૬) (તેમને) સંપૂર્ણ બદલો મળશે.
آية رقم 27
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૭) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
آية رقم 28
ﯪﯫﯬ
ﯭ
૨૮) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા.
آية رقم 29
ﯮﯯﯰﯱ
ﯲ
૨૯) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે.
آية رقم 30
ﯳﯴﯵﯶﯷ
ﯸ
૩૦) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો.
آية رقم 31
ﭑﭒﭓ
ﭔ
૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
آية رقم 32
ﭕﭖ
ﭗ
૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.
آية رقم 33
ﭘﭙ
ﭚ
૩૩) અને નવયુવાન કુમારિકાઓ.
آية رقم 34
ﭛﭜ
ﭝ
૩૪) અને છલકાતા પ્યાલા.
آية رقم 35
ﭞﭟﭠﭡﭢﭣ
ﭤ
૩૫) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે.
آية رقم 36
ﭥﭦﭧﭨﭩ
ﭪ
૩૬) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે.
آية رقم 37
૩૭) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
آية رقم 38
૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે.
آية رقم 39
૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
آية رقم 40
૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત.
تقدم القراءة