سورة الإنشقاق

الترجمة الغوجراتية

ترجمة معاني سورة الإنشقاق باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) જ્યારે આકાશ ફાટી જશે.
آية رقم 2
૨) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે.
آية رقم 3
૩) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.
آية رقم 4
૪) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
آية رقم 5
૫) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે.
آية رقم 6
૬) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે.
آية رقم 7
૭) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે.
آية رقم 8
૮) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે.
آية رقم 9
૯) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે.
آية رقم 10
૧૦) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
آية رقم 11
૧૧) તો તે મૃત્યુને પોકારશે.
آية رقم 12
૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
آية رقم 13
૧૩) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો.
آية رقم 14
૧૪) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી.
آية رقم 15
૧૫) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
آية رقم 16
૧૬) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના.
آية رقم 17
૧૭) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ.
آية رقم 18
૧૮) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
آية رقم 19
૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો.
آية رقم 20
૨૦) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા.
آية رقم 21
૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા.
آية رقم 22
૨૨) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે.
آية رقم 23
૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે.
آية رقم 24
૨૪) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો.
૨૫) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે.
تقدم القراءة