سورة القيامة

الترجمة الغوجراتية

ترجمة معاني سورة القيامة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.
آية رقم 2
૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.
آية رقم 3
૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.
آية رقم 4
૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.
آية رقم 5
૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
آية رقم 6
૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
آية رقم 7
૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.
آية رقم 8
૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
آية رقم 9
૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
آية رقم 10
૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?
آية رقم 11
૧૧) ના ના કોઇ શરણ નથી.
آية رقم 12
૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.
آية رقم 13
૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.
آية رقم 14
૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.
آية رقم 15
૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
آية رقم 16
૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
آية رقم 17
૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
آية رقم 18
૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.
آية رقم 19
૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
آية رقم 20
૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
آية رقم 21
૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.
آية رقم 22
૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
آية رقم 23
૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
آية رقم 24
૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
آية رقم 25
૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
آية رقم 26
૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
آية رقم 27
૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?
آية رقم 28
૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.
آية رقم 29
૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.
آية رقم 30
૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
آية رقم 31
૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.
آية رقم 32
૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.
آية رقم 33
૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
آية رقم 34
૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
آية رقم 35
૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
آية رقم 36
૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
آية رقم 37
૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.
آية رقم 38
૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.
آية رقم 39
૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
آية رقم 40
૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.
تقدم القراءة