ترجمة معاني سورة القلم باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﮉﮊﮋﮌﮍ
ﮎ
૧) નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
آية رقم 2
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૨) તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
آية رقم 3
ﮕﮖﮗﮘﮙ
ﮚ
૩) અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
آية رقم 4
ﮛﮜﮝﮞ
ﮟ
૪) અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
آية رقم 5
ﮠﮡ
ﮢ
૫) બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
آية رقم 6
ﮣﮤ
ﮥ
૬) કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે.
آية رقم 7
૭) નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે.
آية رقم 8
ﯓﯔﯕ
ﯖ
૮) બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
آية رقم 9
ﯗﯘﯙﯚ
ﯛ
૯) તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
آية رقم 10
ﯜﯝﯞﯟﯠ
ﯡ
૧૦) અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો ,
آية رقم 11
ﯢﯣﯤ
ﯥ
૧૧) બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર,
آية رقم 12
ﯦﯧﯨﯩ
ﯪ
૧૨) ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી,
آية رقم 13
ﯫﯬﯭﯮ
ﯯ
૧૩) અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
آية رقم 14
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૧૪) તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
آية رقم 15
૧૫) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે.
آية رقم 16
ﯾﯿﰀ
ﰁ
૧૬) અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
آية رقم 17
૧૭) નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
آية رقم 18
ﭜﭝ
ﭞ
૧૮) અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા.
آية رقم 19
૧૯) બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા.
آية رقم 20
ﭧﭨ
ﭩ
૨૦) બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક.
آية رقم 21
ﭪﭫ
ﭬ
૨૧) હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા.
آية رقم 22
૨૨) કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો.
آية رقم 23
ﭵﭶﭷ
ﭸ
૨૩) ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
آية رقم 24
ﭹﭺﭻﭼﭽﭾ
ﭿ
૨૪) કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
آية رقم 25
ﮀﮁﮂﮃ
ﮄ
૨૫) અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે).
آية رقم 26
ﮅﮆﮇﮈﮉ
ﮊ
૨૬) જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા.
آية رقم 27
ﮋﮌﮍ
ﮎ
૨૭) ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
آية رقم 28
૨૮) તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા ?
آية رقم 29
ﮗﮘﮙﮚﮛﮜ
ﮝ
૨૯) તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા.
آية رقم 30
ﮞﮟﮠﮡﮢ
ﮣ
૩૦) ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
آية رقم 31
ﮤﮥﮦﮧﮨ
ﮩ
૩૧) કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા.
آية رقم 32
૩૨) ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
آية رقم 33
૩૩) આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત.
آية رقم 34
ﯡﯢﯣﯤﯥﯦ
ﯧ
૩૪) ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
آية رقم 35
ﯨﯩﯪ
ﯫ
૩૫) શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું.
آية رقم 36
ﯬﯭﯮﯯ
ﯰ
૩૬) તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો ?
آية رقم 37
ﯱﯲﯳﯴﯵ
ﯶ
૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય ?
آية رقم 38
ﯷﯸﯹﯺﯻ
ﯼ
૩૮) કે તેમાં તમારી મનચાહી વાતો હોય ?
آية رقم 39
૩૯) અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
آية رقم 40
ﰊﰋﰌﰍ
ﰎ
૪૦) તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે.
آية رقم 41
૪૧) શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે.
آية رقم 42
૪૨) જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
آية رقم 43
૪૩) નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
آية رقم 44
૪૪) બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
آية رقم 45
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૪૫) અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
آية رقم 46
૪૬) શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
آية رقم 47
ﭹﭺﭻﭼﭽ
ﭾ
૪૭) અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય.
آية رقم 48
૪૮) બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ 40 દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી.
آية رقم 49
૪૯) અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત.
آية رقم 50
ﮖﮗﮘﮙﮚ
ﮛ
૫૦) તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો.
آية رقم 51
૫૧) અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે.
آية رقم 52
ﮩﮪﮫﮬﮭ
ﮮ
૫૨) ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે.
تقدم القراءة