سورة المطففين

الترجمة الغوجراتية

ترجمة معاني سورة المطفّفين باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
آية رقم 2
૨) જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે.
آية رقم 3
૩) અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે.
آية رقم 4
૪) શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી.
آية رقم 5
૫) તે મોટા દિવસ માટે.
آية رقم 6
૬) જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે.
آية رقم 7
૭) નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
آية رقم 8
૮) તને શું ખબર કે સિજ્જીન શું છે ?
آية رقم 9
૯) (આ તો) લેખિત પુસ્તક છે.
آية رقم 10
૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
آية رقم 11
૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
آية رقم 12
૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે.
آية رقم 13
૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
૧૪) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે.
آية رقم 15
૧૫) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે.
آية رقم 16
૧૬) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે.
آية رقم 17
૧૭) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા.
آية رقم 18
૧૮) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
آية رقم 19
૧૯) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?
آية رقم 20
૨૦) (તે તો) લેખિત પુસ્તક છે.
آية رقم 21
૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
آية رقم 22
૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે.
آية رقم 23
૨૩) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે.
آية رقم 24
૨૪) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો.
آية رقم 25
૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
آية رقم 26
૨૬) જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ.
آية رقم 27
૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.
آية رقم 28
૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે.
آية رقم 29
૨૯) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા.
آية رقم 30
૩૦) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
آية رقم 31
૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા.
آية رقم 32
૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે.
آية رقم 33
૩૩) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.
آية رقم 34
૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે.
آية رقم 35
૩૫) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે.
آية رقم 36
૩૬) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો.
تقدم القراءة