ترجمة معاني سورة الذاريات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﯤﯥ
ﯦ
૧) સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
آية رقم 2
ﯧﯨ
ﯩ
૨) પછી ભાર ઉઠાવનારના.
آية رقم 3
ﯪﯫ
ﯬ
૩) પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ).
آية رقم 4
ﯭﯮ
ﯯ
૪) પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
آية رقم 5
ﯰﯱﯲ
ﯳ
૫) નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે.
آية رقم 6
ﯴﯵﯶ
ﯷ
૬) અને નિ:શંક ન્યાય થશે.
آية رقم 7
ﭑﭒﭓ
ﭔ
૭) સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના.
آية رقم 8
ﭕﭖﭗﭘ
ﭙ
૮) નિ:શંક તમે વિવિધ વાતો કરો છો.
آية رقم 9
ﭚﭛﭜﭝ
ﭞ
૯) આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય.
آية رقم 10
ﭟﭠ
ﭡ
૧૦) નષ્ટ થાય અટકળો કરનારા.
آية رقم 11
ﭢﭣﭤﭥﭦ
ﭧ
૧૧) જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે.
آية رقم 12
ﭨﭩﭪﭫ
ﭬ
૧૨) પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે ?
آية رقم 13
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૧૩) હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે.
آية رقم 14
૧૪) પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.
آية رقم 15
ﭻﭼﭽﭾﭿ
ﮀ
૧૫) નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે.
آية رقم 16
૧૬) તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા.
آية رقم 17
ﮌﮍﮎﮏﮐﮑ
ﮒ
૧૭) તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.
آية رقم 18
ﮓﮔﮕ
ﮖ
૧૮) અને સહરી ના સમયે માફી માંગતા હતા.
آية رقم 19
ﮗﮘﮙﮚﮛ
ﮜ
૧૯) અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો.
آية رقم 20
ﮝﮞﮟﮠ
ﮡ
૨૦) અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.
آية رقم 21
ﮢﮣﮤﮥﮦ
ﮧ
૨૧) અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી ?
آية رقم 22
ﮨﮩﮪﮫﮬ
ﮭ
૨૨) તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે.
آية رقم 23
૨૩) આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો.
آية رقم 24
ﯙﯚﯛﯜﯝﯞ
ﯟ
૨૪) શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે ?
آية رقم 25
૨૫) તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે.
آية رقم 26
ﯫﯬﯭﯮﯯﯰ
ﯱ
૨૬) પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.
آية رقم 27
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૨૭) અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી ?
آية رقم 28
૨૮) પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.
آية رقم 29
૨૯) બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.
آية رقم 30
૩૦) તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે.
آية رقم 31
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૩૧) (હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે ?
آية رقم 32
ﭘﭙﭚﭛﭜﭝ
ﭞ
૩૨) તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
آية رقم 33
ﭟﭠﭡﭢﭣ
ﭤ
૩૩) જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.
آية رقم 34
ﭥﭦﭧﭨ
ﭩ
૩૪) જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે.
آية رقم 35
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૩૫) બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.
آية رقم 36
૩૬) અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.
آية رقم 37
૩૭) અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી.
آية رقم 38
૩૮) મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા.
آية رقم 39
ﮊﮋﮌﮍﮎﮏ
ﮐ
૩૯) બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.
آية رقم 40
૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક.
آية رقم 41
૪૧) આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.
آية رقم 42
૪૨) તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.
آية رقم 43
૪૩) અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.
آية رقم 44
૪૪) પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા.
آية رقم 45
૪૫) બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા.
آية رقم 46
૪૬) અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા.
آية رقم 47
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૪૭) આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.
آية رقم 48
ﯶﯷﯸﯹ
ﯺ
૪૮) અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.
آية رقم 49
૪૯) અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
آية رقم 50
૫૦) બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
آية رقم 51
૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.
آية رقم 52
૫૨) આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.
آية رقم 53
૫૩) શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.
آية رقم 54
ﭧﭨﭩﭪﭫ
ﭬ
૫૪) તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી,
آية رقم 55
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૫૫) અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે.
آية رقم 56
ﭳﭴﭵﭶﭷﭸ
ﭹ
૫૬) મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.
آية رقم 57
૫૭) ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે.
آية رقم 58
૫૮) અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે.
آية رقم 59
૫૯) બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે.
آية رقم 60
૬૦) બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે.
تقدم القراءة