ترجمة معاني سورة الطور باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
ﰡ
آية رقم 1
ﮞ
ﮟ
૧) સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના.
آية رقم 2
ﮠﮡ
ﮢ
૨) અને લખવામાં આવેલ કિતાબના.
آية رقم 3
ﮣﮤﮥ
ﮦ
૩) જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે.
آية رقم 4
ﮧﮨ
ﮩ
૪) અને આબાદ ઘરના
آية رقم 5
ﮪﮫ
ﮬ
૫) અને ઊંચી છતના.
آية رقم 6
ﮭﮮ
ﮯ
૬) અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.
آية رقم 7
ﮰﮱﯓﯔ
ﯕ
૭) નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે.
آية رقم 8
ﯖﯗﯘﯙ
ﯚ
૮) તેને કોઇ રોકનાર નથી.
آية رقم 9
ﯛﯜﯝﯞ
ﯟ
૯) જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.
آية رقم 10
ﯠﯡﯢ
ﯣ
૧૦) અને પર્વતો ચાલવા લાગશે.
آية رقم 11
ﯤﯥﯦ
ﯧ
૧૧) તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
آية رقم 12
ﯨﯩﯪﯫﯬ
ﯭ
૧૨) જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.
آية رقم 13
ﯮﯯﯰﯱﯲﯳ
ﯴ
૧૩) જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.
آية رقم 14
ﯵﯶﯷﯸﯹﯺ
ﯻ
૧૪) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.
آية رقم 15
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૧૫) (હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી.
آية رقم 16
૧૬) જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.
آية رقم 17
ﭦﭧﭨﭩﭪ
ﭫ
૧૭) નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.
آية رقم 18
૧૮) જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે.
آية رقم 19
ﭵﭶﭷﭸﭹﭺ
ﭻ
૧૯) તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા.
آية رقم 20
૨૦) ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે.
آية رقم 21
૨૧) જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે.
آية رقم 22
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૨૨) અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું
آية رقم 23
૨૩) મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ.
آية رقم 24
૨૪) અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા.
آية رقم 25
ﯓﯔﯕﯖﯗ
ﯘ
૨૫) અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.
آية رقم 26
૨૬) કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.
آية رقم 27
ﯡﯢﯣﯤﯥﯦ
ﯧ
૨૭) બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા
آية رقم 28
૨૮) અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે.
آية رقم 29
૨૯) તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.
آية رقم 30
૩૦) શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.
آية رقم 31
ﰄﰅﰆﰇﰈﰉ
ﰊ
૩૧) કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.
آية رقم 32
૩૨) શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે.
آية رقم 33
૩૩) શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા.
آية رقم 34
ﭣﭤﭥﭦﭧﭨ
ﭩ
૩૪) હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે.
آية رقم 35
૩૫) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?
آية رقم 36
૩૬) શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે.
آية رقم 37
૩૭) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.
آية رقم 38
૩૮) અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
آية رقم 39
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૩૯) શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે ?
آية رقم 40
૪૦) શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય ?
آية رقم 41
ﮝﮞﮟﮠﮡ
ﮢ
૪૧) શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?
آية رقم 42
૪૨) શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.
آية رقم 43
૪૩) શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.
آية رقم 44
૪૪) જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.
آية رقم 45
૪૫) તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.
آية رقم 46
૪૬) જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.
آية رقم 47
૪૭) નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે.
آية رقم 48
૪૮) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.
آية رقم 49
ﰋﰌﰍﰎﰏ
ﰐ
૪૯) અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.
تقدم القراءة