ترجمة معاني سورة المعارج باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે.
آية رقم 2
૨) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી.
آية رقم 3
૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે.
૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે.
آية رقم 5
૫) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.
آية رقم 6
૬) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે,
آية رقم 7
૭) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
آية رقم 8
૮) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે.
آية رقم 9
૯) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
آية رقم 10
૧૦) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
૧૧) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને,
آية رقم 12
૧૨) પોતાની પત્નિને અને પોતાના ભાઇને
آية رقم 13
૧૩) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા.
آية رقم 14
૧૪) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે.
آية رقم 15
૧૫) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે.
آية رقم 16
૧૬) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
آية رقم 17
૧૭) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
آية رقم 18
૧૮) અને ભેગુ કરીને સંભાળી રાખે છે.
آية رقم 19
૧૯) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
آية رقم 20
૨૦) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે.
آية رقم 21
૨૧) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે.
آية رقم 22
૨૨) સિવાય તે નમાઝી
آية رقم 23
૨૩) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
آية رقم 24
૨૪) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
آية رقم 25
૨૫) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
آية رقم 26
૨૬) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે.
آية رقم 27
૨૭) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે.
آية رقم 28
૨૮) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી.
آية رقم 29
૨૯) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
૩૦) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી.
آية رقم 31
૩૧) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે.
آية رقم 32
૩૨) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
آية رقم 33
૩૩) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
آية رقم 34
૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
آية رقم 35
૩૫) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
آية رقم 36
૩૬) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે.
آية رقم 37
૩૭) જમણે અને ડાબેથી, જૂથના જૂથ
آية رقم 38
૩૮) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?
آية رقم 39
૩૯) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે.
آية رقم 40
૪૦) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે,
آية رقم 41
૪૧) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી.
آية رقم 42
૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે.
૪૩) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય.
૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.
تقدم القراءة