الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الشعراء નો અનુવાદ
Verse 1
ﭑ
ﭒ
૧) તૉ-સીન્-મીમ્
Verse 2
ﭓﭔﭕﭖ
ﭗ
૨) આ આયતો પ્રકાશિત કિતાબની છે.
Verse 3
ﭘﭙﭚﭛﭜﭝ
ﭞ
૩) તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો.
Verse 4
૪) જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
Verse 5
૫) અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા.
Verse 6
૬) તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે.
Verse 7
૭) શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે ?
Verse 8
૮) નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
Verse 9
ﮖﮗﮘﮙﮚ
ﮛ
૯) અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે.
Verse 10
૧૦) અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ.
Verse 11
ﮥﮦﮧﮨﮩ
ﮪ
૧૧) ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને ?
Verse 12
ﮫﮬﮭﮮﮯﮰ
ﮱ
૧૨) મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે.
Verse 13
૧૩) અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
Verse 14
ﯜﯝﯞﯟﯠﯡ
ﯢ
૧૪) અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
Verse 15
૧૫) અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે.
Verse 16
૧૬) તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે.
Verse 17
ﯵﯶﯷﯸﯹ
ﯺ
૧૭) કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે.
Verse 18
૧૮) ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો ?
Verse 19
૧૯) પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે.
Verse 20
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૨૦) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું.
Verse 21
૨૧) પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
Verse 22
૨૨) તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે.
Verse 23
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૨૩) ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે ?
Verse 24
૨૪) મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
Verse 25
ﭾﭿﮀﮁﮂ
ﮃ
૨૫) ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી ?
Verse 26
ﮄﮅﮆﮇﮈ
ﮉ
૨૬) મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
Verse 27
૨૭) ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
Verse 28
૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
Verse 29
૨૯) ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ.
Verse 30
ﮦﮧﮨﮩﮪ
ﮫ
૩૦) મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું ?
Verse 31
૩૧) ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ,
Verse 32
ﯕﯖﯗﯘﯙﯚ
ﯛ
૩૨) મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
Verse 33
ﯜﯝﯞﯟﯠﯡ
ﯢ
૩૩) અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
Verse 34
૩૪) ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
Verse 35
૩૫) આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો ?
Verse 36
૩૬) તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
Verse 37
ﯼﯽﯾﯿ
ﰀ
૩૭) જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
Verse 38
ﰁﰂﰃﰄﰅ
ﰆ
૩૮) પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
Verse 39
ﰇﰈﰉﰊﰋ
ﰌ
૩૯) અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો,
Verse 40
૪૦) જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું,
Verse 41
૪૧) જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે ?
Verse 42
ﭦﭧﭨﭩﭪﭫ
ﭬ
૪૨) ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો.
Verse 43
૪૩) મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
Verse 44
૪૪) તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
Verse 45
૪૫) હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
Verse 46
ﮈﮉﮊ
ﮋ
૪૬) આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
Verse 47
ﮌﮍﮎﮏ
ﮐ
૪૭) અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
Verse 48
ﮑﮒﮓ
ﮔ
૪૮) એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર,
Verse 49
૪૯) ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
Verse 50
૫૦) તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે.
Verse 51
૫૧) એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે.
Verse 52
૫૨) અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
Verse 53
ﯭﯮﯯﯰﯱ
ﯲ
૫૩) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
Verse 54
ﯳﯴﯵﯶ
ﯷ
૫૪) કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે.
Verse 55
ﯸﯹﯺ
ﯻ
૫૫) અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
Verse 56
ﯼﯽﯾ
ﯿ
૫૬) અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
Verse 57
ﰀﰁﰂﰃ
ﰄ
૫૭) છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે,
Verse 58
ﰅﰆﰇ
ﰈ
૫૮) અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
Verse 59
ﰉﰊﰋﰌﰍ
ﰎ
૫૯) આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા,
Verse 60
ﰏﰐ
ﰑ
૬૦) બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
Verse 61
૬૧) બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
Verse 62
૬૨) મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
Verse 63
૬૩) અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
Verse 64
ﭱﭲﭳ
ﭴ
૬૪) અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
Verse 65
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૬૫) અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો,
Verse 66
ﭻﭼﭽ
ﭾ
૬૬) પછી બીજા લોકોને ડુબાડી દીધા.
Verse 67
૬૭) ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
Verse 68
ﮉﮊﮋﮌﮍ
ﮎ
૬૮) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
Verse 69
ﮏﮐﮑﮒ
ﮓ
૬૯) તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો,
Verse 70
ﮔﮕﮖﮗﮘﮙ
ﮚ
૭૦) જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો ?
Verse 71
ﮛﮜﮝﮞﮟﮠ
ﮡ
૭૧) તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
Verse 72
ﮢﮣﮤﮥﮦ
ﮧ
૭૨) તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે ?
Verse 73
ﮨﮩﮪﮫ
ﮬ
૭૩) અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે ?
Verse 74
ﮭﮮﮯﮰﮱﯓ
ﯔ
૭૪) તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
Verse 75
ﯕﯖﯗﯘﯙ
ﯚ
૭૫) તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો ?
Verse 76
ﯛﯜﯝ
ﯞ
૭૬) તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે.
Verse 77
ﯟﯠﯡﯢﯣﯤ
ﯥ
૭૭) અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે.
Verse 78
ﯦﯧﯨﯩ
ﯪ
૭૮) જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
Verse 79
ﯫﯬﯭﯮ
ﯯ
૭૯) તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
Verse 80
ﯰﯱﯲﯳ
ﯴ
૮૦) અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે.
Verse 81
ﯵﯶﯷﯸ
ﯹ
૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
Verse 82
૮૨) અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
Verse 83
ﰃﰄﰅﰆﰇﰈ
ﰉ
૮૩) હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
Verse 84
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૮૪) અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
Verse 85
ﭘﭙﭚﭛﭜ
ﭝ
૮૫) મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
Verse 86
ﭞﭟﭠﭡﭢﭣ
ﭤ
૮૬) અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં.
Verse 87
ﭥﭦﭧﭨ
ﭩ
૮૭) અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
Verse 88
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૮૮) જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
Verse 89
ﭱﭲﭳﭴﭵﭶ
ﭷ
૮૯) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે.
Verse 90
ﭸﭹﭺ
ﭻ
૯૦) અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે.
Verse 91
ﭼﭽﭾ
ﭿ
૯૧) અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
Verse 92
ﮀﮁﮂﮃﮄﮅ
ﮆ
૯૨) અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે ?
Verse 93
૯૩) જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે ?
Verse 94
ﮏﮐﮑﮒ
ﮓ
૯૪) બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
Verse 95
ﮔﮕﮖ
ﮗ
૯૫) અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં,
Verse 96
ﮘﮙﮚﮛ
ﮜ
૯૬) અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે,
Verse 97
ﮝﮞﮟﮠﮡﮢ
ﮣ
૯૭) કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં.
Verse 98
ﮤﮥﮦﮧ
ﮨ
૯૮) જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
Verse 99
ﮩﮪﮫﮬ
ﮭ
૯૯) અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા.
Verse 100
ﮮﮯﮰﮱ
ﯓ
૧૦૦) હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી.
Verse 101
ﯔﯕﯖ
ﯗ
૧૦૧) અને ન તો શુભેચ્છુક મિત્ર.
Verse 102
૧૦૨) જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં.
Verse 103
૧૦૩) આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
Verse 104
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૧૦૪) નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
Verse 105
ﯰﯱﯲﯳ
ﯴ
૧૦૫) નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 106
૧૦૬) જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી ?
Verse 107
ﯽﯾﯿﰀ
ﰁ
૧૦૭) સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 108
ﰂﰃﰄ
ﰅ
૧૦૮) બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
Verse 109
૧૦૯) હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
Verse 110
ﰓﰔﰕ
ﰖ
૧૧૦) બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 111
ﰗﰘﰙﰚﰛﰜ
ﰝ
૧૧૧)કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
Verse 112
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૧૧૨) પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં?
Verse 113
૧૧૩) તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય.
Verse 114
ﭡﭢﭣﭤ
ﭥ
૧૧૪) હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
Verse 115
ﭦﭧﭨﭩﭪ
ﭫ
૧૧૫) હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
Verse 116
૧૧૬) તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
Verse 117
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૧૧૭) નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
Verse 118
૧૧૮) બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
Verse 119
ﮅﮆﮇﮈﮉﮊ
ﮋ
૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
Verse 120
ﮌﮍﮎﮏ
ﮐ
૧૨૦) બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
Verse 121
૧૨૧)નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
Verse 122
ﮛﮜﮝﮞﮟ
ﮠ
૧૨૨) અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ.
Verse 123
ﮡﮢﮣ
ﮤ
૧૨૩) આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 124
૧૨૪) જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી ?
Verse 125
ﮭﮮﮯﮰ
ﮱ
૧૨૫) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 126
ﯓﯔﯕ
ﯖ
૧૨૬) બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
Verse 127
૧૨૭) હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે.
Verse 128
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૧૨૮) શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો.
Verse 129
ﯪﯫﯬﯭ
ﯮ
૧૨૯) અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
Verse 130
ﯯﯰﯱﯲ
ﯳ
૧૩૦) અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો.
Verse 131
ﯴﯵﯶ
ﯷ
૧૩૧) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 132
ﯸﯹﯺﯻﯼ
ﯽ
૧૩૨) તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો.
Verse 133
ﯾﯿﰀ
ﰁ
૧૩૩) તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા.
Verse 134
ﰂﰃ
ﰄ
૧૩૪) બગીચા અને ઝરણાં દ્વારા.
Verse 135
ﰅﰆﰇﰈﰉﰊ
ﰋ
૧૩૫) મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે.
Verse 136
૧૩૬) તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
Verse 137
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૩૭) આ તો જૂના લોકોની આદત છે.
Verse 138
ﭗﭘﭙ
ﭚ
૧૩૮) અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે.
Verse 139
૧૩૯) જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં.
Verse 140
ﭨﭩﭪﭫﭬ
ﭭ
૧૪૦) નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
Verse 141
ﭮﭯﭰ
ﭱ
૧૪૧) ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Verse 142
૧૪૨) તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?
Verse 143
ﭺﭻﭼﭽ
ﭾ
૧૪૩) હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 144
ﭿﮀﮁ
ﮂ
૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
Verse 145
૧૪૫) હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે.
Verse 146
ﮐﮑﮒﮓﮔ
ﮕ
૧૪૬) શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે.
Verse 147
ﮖﮗﮘ
ﮙ
૧૪૭) એટલે કે આ બગીચાઓ અને ઝરણા,
Verse 148
ﮚﮛﮜﮝ
ﮞ
૧૪૮) અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
Verse 149
ﮟﮠﮡﮢﮣ
ﮤ
૧૪૯) અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
Verse 150
ﮥﮦﮧ
ﮨ
૧૫૦) બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 151
ﮩﮪﮫﮬ
ﮭ
૧૫૧) નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
Verse 152
ﮮﮯﮰﮱﯓﯔ
ﯕ
૧૫૨) જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
Verse 153
ﯖﯗﯘﯙﯚ
ﯛ
૧૫૩) તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
Verse 154
૧૫૪) તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો.
Verse 155
૧૫૫) પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો.
Verse 156
૧૫૬) (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે.
Verse 157
ﯺﯻﯼ
ﯽ
૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી.
Verse 158
૧૫૮) અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
Verse 159
ﰋﰌﰍﰎﰏ
ﰐ
૧૫૯) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
Verse 160
ﭑﭒﭓﭔ
ﭕ
૧૬૦) લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
Verse 161
૧૬૧) તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા ?
Verse 162
ﭞﭟﭠﭡ
ﭢ
૧૬૨) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 163
ﭣﭤﭥ
ﭦ
૧૬૩) બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 164
૧૬૪) હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
Verse 165
ﭴﭵﭶﭷ
ﭸ
૧૬૫) શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો.
Verse 166
૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો.
Verse 167
૧૬૭) તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
Verse 168
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૧૬૮) લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
Verse 169
ﮕﮖﮗﮘﮙ
ﮚ
૧૬૯) મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે.
Verse 170
ﮛﮜﮝ
ﮞ
૧૭૦) બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા.
Verse 171
ﮟﮠﮡﮢ
ﮣ
૧૭૧) એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
Verse 172
ﮤﮥﮦ
ﮧ
૧૭૨) પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
Verse 173
૧૭૩) અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
Verse 174
૧૭૪) આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
Verse 175
ﯛﯜﯝﯞﯟ
ﯠ
૧૭૫) નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
Verse 176
ﯡﯢﯣﯤ
ﯥ
૧૭૬) અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
Verse 177
ﯦﯧﯨﯩﯪﯫ
ﯬ
૧૭૭) જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી.
Verse 178
ﯭﯮﯯﯰ
ﯱ
૧૭૮) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
Verse 179
ﯲﯳﯴ
ﯵ
૧૭૯) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
Verse 180
૧૮૦) હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
Verse 181
૧૮૧) માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
Verse 182
ﰋﰌﰍ
ﰎ
૧૮૨) અને સાચા ત્રાજવા વડે તોલો.
Verse 183
૧૮૩) લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
Verse 184
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૮૪) તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
Verse 185
ﭗﭘﭙﭚﭛ
ﭜ
૧૮૫) તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે.
Verse 186
૧૮૬) અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ.
Verse 187
૧૮૭) જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ.
Verse 188
ﭱﭲﭳﭴﭵ
ﭶ
૧૮૮) કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો.
Verse 189
૧૮૯) કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો.
Verse 190
૧૯૦) નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
Verse 191
ﮍﮎﮏﮐﮑ
ﮒ
૧૯૧) અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
Verse 192
ﮓﮔﮕﮖ
ﮗ
૧૯૨)અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે.
Verse 193
ﮘﮙﮚﮛ
ﮜ
૧૯૩) આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે.
Verse 194
ﮝﮞﮟﮠﮡ
ﮢ
૧૯૪) તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
Verse 195
ﮣﮤﮥ
ﮦ
૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
Verse 196
ﮧﮨﮩﮪ
ﮫ
૧૯૬) આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે.
Verse 197
૧૯૭) શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે ?
Verse 198
ﯗﯘﯙﯚﯛ
ﯜ
૧૯૮) અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા,
Verse 199
ﯝﯞﯟﯠﯡﯢ
ﯣ
૧૯૯) બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા.
Verse 200
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૦૦) આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું.
Verse 201
૨૦૧) તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
Verse 202
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૨૦૨) બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
Verse 203
ﯸﯹﯺﯻ
ﯼ
૨૦૩) તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે ?
Verse 204
ﯽﯾ
ﯿ
૨૦૪) બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે ?
Verse 205
ﰀﰁﰂﰃ
ﰄ
૨૦૫) સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ.
Verse 206
ﰅﰆﰇﰈﰉ
ﰊ
૨૦૬) પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી.
Verse 207
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૨૦૭) તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે.
Verse 208
૨૦૮) અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા.
Verse 209
ﭠﭡﭢﭣ
ﭤ
૨૦૯) શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી.
Verse 210
ﭥﭦﭧﭨ
ﭩ
૨૧૦) આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
Verse 211
ﭪﭫﭬﭭﭮ
ﭯ
૨૧૧) તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
Verse 212
ﭰﭱﭲﭳ
ﭴ
૨૧૨) પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
Verse 213
૨૧૩) બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ.
Verse 214
ﭿﮀﮁ
ﮂ
૨૧૪) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
Verse 215
ﮃﮄﮅﮆﮇﮈ
ﮉ
૨૧૫) જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
Verse 216
૨૧૬) જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
Verse 217
ﮒﮓﮔﮕ
ﮖ
૨૧૭) પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ.
Verse 218
ﮗﮘﮙﮚ
ﮛ
૨૧૮) જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો.
Verse 219
ﮜﮝﮞ
ﮟ
૨૧૯) અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ.
Verse 220
ﮠﮡﮢﮣ
ﮤ
૨૨૦) તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે.
Verse 221
ﮥﮦﮧﮨﮩﮪ
ﮫ
૨૨૧) શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે ?
Verse 222
ﮬﮭﮮﮯﮰ
ﮱ
૨૨૨) તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
Verse 223
ﯓﯔﯕﯖ
ﯗ
૨૨૩) અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
Verse 224
ﯘﯙﯚ
ﯛ
૨૨૪) કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે.
Verse 225
૨૨૫) શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે ?
Verse 226
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૨૬) અને તે લોકો જે કહે છે તે કરતા નથી.
Verse 227
૨૨૭)ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે.
تقدم القراءة