سورة القيامة

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ القيامة નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.
Verse 2
૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.
૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.
૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.
૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
Verse 6
૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
Verse 7
૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.
Verse 8
૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
Verse 9
૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?
Verse 11
૧૧) ના ના કોઇ શરણ નથી.
Verse 12
૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.
૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.
૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.
Verse 15
૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
Verse 17
૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
Verse 18
૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.
Verse 19
૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
Verse 20
૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
Verse 21
૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.
Verse 22
૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
Verse 23
૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
Verse 24
૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
Verse 26
૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Verse 27
૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?
Verse 28
૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.
Verse 29
૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.
Verse 30
૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
Verse 31
૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.
Verse 32
૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.
૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
Verse 34
૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
Verse 35
૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.
૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.
૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.
تقدم القراءة