الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ القيامة નો અનુવાદ
Verse 1
ﮊﮋﮌﮍ
ﮎ
૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.
Verse 2
ﮏﮐﮑﮒ
ﮓ
૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.
Verse 3
ﮔﮕﮖﮗﮘ
ﮙ
૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.
Verse 4
ﮚﮛﮜﮝﮞﮟ
ﮠ
૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.
Verse 5
ﮡﮢﮣﮤﮥ
ﮦ
૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
Verse 6
ﮧﮨﮩﮪ
ﮫ
૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
Verse 7
ﮬﮭﮮ
ﮯ
૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.
Verse 8
ﮰﮱ
ﯓ
૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
Verse 9
ﯔﯕﯖ
ﯗ
૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
Verse 10
ﯘﯙﯚﯛﯜ
ﯝ
૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?
Verse 11
ﯞﯟﯠ
ﯡ
૧૧) ના ના કોઇ શરણ નથી.
Verse 12
ﯢﯣﯤﯥ
ﯦ
૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.
Verse 13
ﯧﯨﯩﯪﯫﯬ
ﯭ
૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.
Verse 14
ﯮﯯﯰﯱﯲ
ﯳ
૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.
Verse 15
ﯴﯵﯶ
ﯷ
૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
Verse 16
ﯸﯹﯺﯻﯼﯽ
ﯾ
૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
Verse 17
ﯿﰀﰁﰂ
ﰃ
૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
Verse 18
ﰄﰅﰆﰇ
ﰈ
૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.
Verse 19
ﰉﰊﰋﰌ
ﰍ
૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
Verse 20
ﭑﭒﭓﭔ
ﭕ
૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
Verse 21
ﭖﭗ
ﭘ
૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.
Verse 22
ﭙﭚﭛ
ﭜ
૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
Verse 23
ﭝﭞﭟ
ﭠ
૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
Verse 24
ﭡﭢﭣ
ﭤ
૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
Verse 25
ﭥﭦﭧﭨﭩ
ﭪ
૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
Verse 26
ﭫﭬﭭﭮ
ﭯ
૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Verse 27
ﭰﭱﭲﭳ
ﭴ
૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?
Verse 28
ﭵﭶﭷ
ﭸ
૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.
Verse 29
ﭹﭺﭻ
ﭼ
૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.
Verse 30
ﭽﭾﭿﮀ
ﮁ
૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
Verse 31
ﮂﮃﮄﮅ
ﮆ
૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.
Verse 32
ﮇﮈﮉ
ﮊ
૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.
Verse 33
ﮋﮌﮍﮎﮏ
ﮐ
૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
Verse 34
ﮑﮒﮓ
ﮔ
૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
Verse 35
ﮕﮖﮗﮘ
ﮙ
૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
Verse 36
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
Verse 37
ﮠﮡﮢﮣﮤﮥ
ﮦ
૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.
Verse 38
ﮧﮨﮩﮪﮫ
ﮬ
૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.
Verse 39
ﮭﮮﮯﮰﮱ
ﯓ
૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
Verse 40
૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.
تقدم القراءة