الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ القلم નો અનુવાદ
Verse 1
ﮉﮊﮋﮌﮍ
ﮎ
૧) નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
Verse 2
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૨) તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
Verse 3
ﮕﮖﮗﮘﮙ
ﮚ
૩) અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
Verse 4
ﮛﮜﮝﮞ
ﮟ
૪) અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
Verse 5
ﮠﮡ
ﮢ
૫) બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
Verse 6
ﮣﮤ
ﮥ
૬) કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે.
Verse 7
૭) નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે.
Verse 8
ﯓﯔﯕ
ﯖ
૮) બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
Verse 9
ﯗﯘﯙﯚ
ﯛ
૯) તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
Verse 10
ﯜﯝﯞﯟﯠ
ﯡ
૧૦) અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો ,
Verse 11
ﯢﯣﯤ
ﯥ
૧૧) બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર,
Verse 12
ﯦﯧﯨﯩ
ﯪ
૧૨) ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી,
Verse 13
ﯫﯬﯭﯮ
ﯯ
૧૩) અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
Verse 14
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૧૪) તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
Verse 15
૧૫) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે.
Verse 16
ﯾﯿﰀ
ﰁ
૧૬) અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
Verse 17
૧૭) નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
Verse 18
ﭜﭝ
ﭞ
૧૮) અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા.
Verse 19
૧૯) બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા.
Verse 20
ﭧﭨ
ﭩ
૨૦) બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક.
Verse 21
ﭪﭫ
ﭬ
૨૧) હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા.
Verse 22
૨૨) કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો.
Verse 23
ﭵﭶﭷ
ﭸ
૨૩) ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
Verse 24
ﭹﭺﭻﭼﭽﭾ
ﭿ
૨૪) કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
Verse 25
ﮀﮁﮂﮃ
ﮄ
૨૫) અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે).
Verse 26
ﮅﮆﮇﮈﮉ
ﮊ
૨૬) જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા.
Verse 27
ﮋﮌﮍ
ﮎ
૨૭) ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
Verse 28
૨૮) તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા ?
Verse 29
ﮗﮘﮙﮚﮛﮜ
ﮝ
૨૯) તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા.
Verse 30
ﮞﮟﮠﮡﮢ
ﮣ
૩૦) ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
Verse 31
ﮤﮥﮦﮧﮨ
ﮩ
૩૧) કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા.
Verse 32
૩૨) ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
Verse 33
૩૩) આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત.
Verse 34
ﯡﯢﯣﯤﯥﯦ
ﯧ
૩૪) ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
Verse 35
ﯨﯩﯪ
ﯫ
૩૫) શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું.
Verse 36
ﯬﯭﯮﯯ
ﯰ
૩૬) તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો ?
Verse 37
ﯱﯲﯳﯴﯵ
ﯶ
૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય ?
Verse 38
ﯷﯸﯹﯺﯻ
ﯼ
૩૮) કે તેમાં તમારી મનચાહી વાતો હોય ?
Verse 39
૩૯) અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
Verse 40
ﰊﰋﰌﰍ
ﰎ
૪૦) તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે.
Verse 41
૪૧) શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે.
Verse 42
૪૨) જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
Verse 43
૪૩) નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
Verse 44
૪૪) બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
Verse 45
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૪૫) અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
Verse 46
૪૬) શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
Verse 47
ﭹﭺﭻﭼﭽ
ﭾ
૪૭) અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય.
Verse 48
૪૮) બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ 40 દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી.
Verse 49
૪૯) અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત.
Verse 50
ﮖﮗﮘﮙﮚ
ﮛ
૫૦) તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો.
Verse 51
૫૧) અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે.
Verse 52
ﮩﮪﮫﮬﮭ
ﮮ
૫૨) ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે.
تقدم القراءة