الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الصافات નો અનુવાદ
Verse 1
ﭑﭒ
ﭓ
૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.
Verse 2
ﭔﭕ
ﭖ
૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.
Verse 3
ﭗﭘ
ﭙ
૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.
Verse 4
ﭚﭛﭜ
ﭝ
૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.
Verse 5
૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
Verse 6
ﭦﭧﭨﭩﭪﭫ
ﭬ
૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
Verse 7
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
Verse 8
૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
Verse 9
ﭽﭾﭿﮀﮁ
ﮂ
૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.
Verse 10
૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
Verse 11
૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
Verse 12
ﮙﮚﮛ
ﮜ
૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
Verse 13
ﮝﮞﮟﮠ
ﮡ
૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.
Verse 14
ﮢﮣﮤﮥ
ﮦ
૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.
Verse 15
ﮧﮨﮩﮪﮫﮬ
ﮭ
૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
Verse 16
૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?
Verse 17
ﯗﯘ
ﯙ
૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?
Verse 18
ﯚﯛﯜﯝ
ﯞ
૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.
Verse 19
૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.
Verse 20
ﯧﯨﯩﯪﯫ
ﯬ
૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.
Verse 21
૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.
Verse 22
૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,
Verse 23
૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
Verse 24
ﰆﰇﰈﰉ
ﰊ
૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.
Verse 25
ﭑﭒﭓﭔ
ﭕ
૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.
Verse 26
ﭖﭗﭘﭙ
ﭚ
૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.
Verse 27
ﭛﭜﭝﭞﭟ
ﭠ
૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
Verse 28
ﭡﭢﭣﭤﭥﭦ
ﭧ
૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
Verse 29
ﭨﭩﭪﭫﭬ
ﭭ
૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.
Verse 30
૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
Verse 31
૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.
Verse 32
ﮂﮃﮄﮅ
ﮆ
૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.
Verse 33
ﮇﮈﮉﮊﮋ
ﮌ
૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.
Verse 34
ﮍﮎﮏﮐ
ﮑ
૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
Verse 35
૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.
Verse 36
ﮝﮞﮟﮠﮡﮢ
ﮣ
૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?
Verse 37
ﮤﮥﮦﮧﮨ
ﮩ
૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.
Verse 38
ﮪﮫﮬﮭ
ﮮ
૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.
Verse 39
ﮯﮰﮱﯓﯔﯕ
ﯖ
૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
Verse 40
ﯗﯘﯙﯚ
ﯛ
૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).
Verse 41
ﯜﯝﯞﯟ
ﯠ
૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.
Verse 42
ﯡﯢﯣ
ﯤ
૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
Verse 43
ﯥﯦﯧ
ﯨ
૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,
Verse 44
ﯩﯪﯫ
ﯬ
૪૪) આસનો પર એકબીજાની સામે હશે.
Verse 45
ﯭﯮﯯﯰﯱ
ﯲ
૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
Verse 46
ﯳﯴﯵ
ﯶ
૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
Verse 47
૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
Verse 48
ﯿﰀﰁﰂ
ﰃ
૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
Verse 49
ﰄﰅﰆ
ﰇ
૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,
Verse 50
ﰈﰉﰊﰋﰌ
ﰍ
૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
Verse 51
૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,
Verse 52
ﭑﭒﭓﭔ
ﭕ
૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?
Verse 53
૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?
Verse 54
ﭞﭟﭠﭡ
ﭢ
૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?
Verse 55
ﭣﭤﭥﭦﭧ
ﭨ
૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
Verse 56
ﭩﭪﭫﭬﭭ
ﭮ
૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
Verse 57
ﭯﭰﭱﭲﭳﭴ
ﭵ
૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
Verse 58
ﭶﭷﭸ
ﭹ
૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?
Verse 59
ﭺﭻﭼﭽﭾﭿ
ﮀ
૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.
Verse 60
ﮁﮂﮃﮄﮅ
ﮆ
૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.
Verse 61
ﮇﮈﮉﮊ
ﮋ
૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
Verse 62
ﮌﮍﮎﮏﮐﮑ
ﮒ
૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?
Verse 63
ﮓﮔﮕﮖ
ﮗ
૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.
Verse 64
ﮘﮙﮚﮛﮜﮝ
ﮞ
૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
Verse 65
ﮟﮠﮡﮢ
ﮣ
૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
Verse 66
ﮤﮥﮦﮧﮨﮩ
ﮪ
૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.
Verse 67
૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
Verse 68
ﯔﯕﯖﯗﯘ
ﯙ
૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.
Verse 69
ﯚﯛﯜﯝ
ﯞ
૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.
Verse 70
ﯟﯠﯡﯢ
ﯣ
૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
Verse 71
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.
Verse 72
ﯪﯫﯬﯭ
ﯮ
૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.
Verse 73
ﯯﯰﯱﯲﯳ
ﯴ
૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
Verse 74
ﯵﯶﯷﯸ
ﯹ
૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,
Verse 75
ﯺﯻﯼﯽﯾ
ﯿ
૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
Verse 76
ﰀﰁﰂﰃﰄ
ﰅ
૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
Verse 77
ﭑﭒﭓﭔ
ﭕ
૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.
Verse 78
ﭖﭗﭘﭙ
ﭚ
૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
Verse 79
ﭛﭜﭝﭞﭟ
ﭠ
૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
Verse 80
ﭡﭢﭣﭤ
ﭥ
૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 81
ﭦﭧﭨﭩ
ﭪ
૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 82
ﭫﭬﭭ
ﭮ
૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.
Verse 83
ﭯﭰﭱﭲﭳ
ﭴ
૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.
Verse 84
ﭵﭶﭷﭸﭹ
ﭺ
૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.
Verse 85
ﭻﭼﭽﭾﭿﮀ
ﮁ
૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?
Verse 86
ﮂﮃﮄﮅﮆ
ﮇ
૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?
Verse 87
ﮈﮉﮊﮋ
ﮌ
૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?
Verse 88
ﮍﮎﮏﮐ
ﮑ
૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.
Verse 89
ﮒﮓﮔ
ﮕ
૮૯)અને કહ્યું કે હું બિમાર છું.
Verse 90
ﮖﮗﮘ
ﮙ
૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
Verse 91
ﮚﮛﮜﮝﮞﮟ
ﮠ
૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?
Verse 92
ﮡﮢﮣﮤ
ﮥ
૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
Verse 93
ﮦﮧﮨﮩ
ﮪ
૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.
Verse 94
ﮫﮬﮭ
ﮮ
૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.
Verse 95
ﮯﮰﮱﯓ
ﯔ
૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.
Verse 96
ﯕﯖﯗﯘ
ﯙ
૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
Verse 97
૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
Verse 98
ﯢﯣﯤﯥﯦ
ﯧ
૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
Verse 99
ﯨﯩﯪﯫﯬﯭ
ﯮ
૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
Verse 100
ﯯﯰﯱﯲﯳ
ﯴ
૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,
Verse 101
ﯵﯶﯷ
ﯸ
૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.
Verse 102
૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
Verse 103
ﭑﭒﭓﭔ
ﭕ
૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,
Verse 104
ﭖﭗﭘ
ﭙ
૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !
Verse 105
૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 106
ﭣﭤﭥﭦﭧ
ﭨ
૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
Verse 107
ﭩﭪﭫ
ﭬ
૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
Verse 108
ﭭﭮﭯﭰ
ﭱ
૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
Verse 109
ﭲﭳﭴ
ﭵ
૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.
Verse 110
ﭶﭷﭸ
ﭹ
૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 111
ﭺﭻﭼﭽ
ﭾ
૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 112
ﭿﮀﮁﮂﮃ
ﮄ
૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.
Verse 113
૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
Verse 114
ﮑﮒﮓﮔﮕ
ﮖ
૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.
Verse 115
ﮗﮘﮙﮚﮛ
ﮜ
૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.
Verse 116
ﮝﮞﮟﮠ
ﮡ
૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
Verse 117
ﮢﮣﮤ
ﮥ
૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
Verse 118
ﮦﮧﮨ
ﮩ
૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
Verse 119
ﮪﮫﮬﮭ
ﮮ
૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.
Verse 120
ﮯﮰﮱﯓ
ﯔ
૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,
Verse 121
ﯕﯖﯗﯘ
ﯙ
૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 122
ﯚﯛﯜﯝ
ﯞ
૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 123
ﯟﯠﯡﯢ
ﯣ
૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.
Verse 124
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?
Verse 125
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
Verse 126
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
Verse 127
ﭑﭒﭓ
ﭔ
૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.
Verse 128
ﭕﭖﭗﭘ
ﭙ
૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.
Verse 129
ﭚﭛﭜﭝ
ﭞ
૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
Verse 130
ﭟﭠﭡﭢ
ﭣ
૧૩૦) ઇલ્યાસ પર સલામ,
Verse 131
ﭤﭥﭦﭧ
ﭨ
૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 132
ﭩﭪﭫﭬ
ﭭ
૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
Verse 133
ﭮﭯﭰﭱ
ﭲ
૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,
Verse 134
ﭳﭴﭵﭶ
ﭷ
૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,
Verse 135
ﭸﭹﭺﭻ
ﭼ
૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
Verse 136
ﭽﭾﭿ
ﮀ
૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
Verse 137
ﮁﮂﮃﮄ
ﮅ
૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.
Verse 138
ﮆﮇﮈﮉ
ﮊ
૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?
Verse 139
ﮋﮌﮍﮎ
ﮏ
૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.
Verse 140
ﮐﮑﮒﮓﮔ
ﮕ
૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
Verse 141
ﮖﮗﮘﮙ
ﮚ
૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
Verse 142
ﮛﮜﮝﮞ
ﮟ
૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
Verse 143
ﮠﮡﮢﮣﮤ
ﮥ
૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
Verse 144
ﮦﮧﮨﮩﮪﮫ
ﮬ
૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.
Verse 145
ﮭﮮﮯﮰﮱ
ﯓ
૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
Verse 146
ﯔﯕﯖﯗﯘ
ﯙ
૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
Verse 147
ﯚﯛﯜﯝﯞﯟ
ﯠ
૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.
Verse 148
ﯡﯢﯣﯤ
ﯥ
૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
Verse 149
ﯦﯧﯨﯩﯪ
ﯫ
૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
Verse 150
ﯬﯭﯮﯯﯰﯱ
ﯲ
૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?
Verse 151
ﯳﯴﯵﯶﯷ
ﯸ
૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
Verse 152
ﯹﯺﯻﯼ
ﯽ
૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
Verse 153
ﯾﯿﰀﰁ
ﰂ
૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?
Verse 154
ﭑﭒﭓﭔ
ﭕ
૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?
Verse 155
ﭖﭗ
ﭘ
૧૫૫) શું તમે સમજતા પણ નથી ?
Verse 156
ﭙﭚﭛﭜ
ﭝ
૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?
Verse 157
ﭞﭟﭠﭡﭢ
ﭣ
૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
Verse 158
૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.
Verse 159
ﭰﭱﭲﭳ
ﭴ
૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
Verse 160
ﭵﭶﭷﭸ
ﭹ
૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.
Verse 161
ﭺﭻﭼ
ﭽ
૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
Verse 162
ﭾﭿﮀﮁ
ﮂ
૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.
Verse 163
ﮃﮄﮅﮆﮇ
ﮈ
૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.
Verse 164
ﮉﮊﮋﮌﮍﮎ
ﮏ
૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
Verse 165
ﮐﮑﮒ
ﮓ
૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
Verse 166
ﮔﮕﮖ
ﮗ
૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.
Verse 167
ﮘﮙﮚ
ﮛ
૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,
Verse 168
ﮜﮝﮞﮟﮠﮡ
ﮢ
૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,
Verse 169
ﮣﮤﮥﮦ
ﮧ
૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
Verse 170
ﮨﮩﮪﮫﮬ
ﮭ
૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.
Verse 171
ﮮﮯﮰﮱﯓ
ﯔ
૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.
Verse 172
ﯕﯖﯗ
ﯘ
૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
Verse 173
ﯙﯚﯛﯜ
ﯝ
૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
Verse 174
ﯞﯟﯠﯡ
ﯢ
૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
Verse 175
ﯣﯤﯥ
ﯦ
૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
Verse 176
ﯧﯨ
ﯩ
૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?
Verse 177
ﯪﯫﯬﯭﯮﯯ
ﯰ
૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
Verse 178
ﯱﯲﯳﯴ
ﯵ
૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
Verse 179
ﯶﯷﯸ
ﯹ
૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
Verse 180
ﯺﯻﯼﯽﯾﯿ
ﰀ
૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.
Verse 181
ﰁﰂﰃ
ﰄ
૧૮૧) પયગંબરો પર સલામ છે.
Verse 182
ﰅﰆﰇﰈ
ﰉ
૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
تقدم القراءة