سورة الصافات

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الصافات નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.
Verse 2
૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.
Verse 3
૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.
Verse 4
૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.
૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.
૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
Verse 12
૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
Verse 13
૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.
Verse 14
૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.
૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?
Verse 17
૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?
Verse 18
૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.
૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.
૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.
૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.
૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,
૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
Verse 24
૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.
Verse 25
૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.
Verse 26
૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.
૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.
૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.
Verse 32
૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.
૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.
Verse 34
૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.
૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?
૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.
Verse 38
૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.
૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
Verse 40
૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).
Verse 41
૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.
Verse 42
૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
Verse 43
૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,
Verse 44
૪૪) આસનો પર એકબીજાની સામે હશે.
૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
Verse 46
૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
Verse 48
૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
Verse 49
૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,
૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,
Verse 52
૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?
૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?
Verse 54
૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?
૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
Verse 58
૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?
૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.
Verse 61
૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?
Verse 63
૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.
૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
Verse 65
૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.
૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.
Verse 69
૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.
Verse 70
૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.
Verse 72
૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.
૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
Verse 74
૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,
૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
Verse 77
૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.
Verse 78
૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
Verse 80
૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 81
૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 82
૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.
૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.
૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.
૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?
૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?
Verse 87
૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?
Verse 88
૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.
Verse 89
૮૯)અને કહ્યું કે હું બિમાર છું.
Verse 90
૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?
Verse 92
૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
Verse 93
૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.
Verse 94
૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.
Verse 95
૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.
Verse 96
૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
Verse 100
૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,
Verse 101
૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.
૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
Verse 103
૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,
Verse 104
૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !
૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 106
૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
Verse 107
૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
Verse 108
૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
Verse 109
૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.
Verse 110
૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 111
૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 112
૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.
૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
Verse 114
૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.
Verse 115
૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.
Verse 116
૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
Verse 117
૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
Verse 118
૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
Verse 119
૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.
Verse 120
૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,
Verse 121
૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 122
૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
Verse 123
૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.
Verse 124
૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?
Verse 125
૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
Verse 126
૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
Verse 127
૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.
Verse 128
૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.
Verse 129
૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
Verse 131
૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 132
૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
Verse 133
૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,
Verse 134
૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,
Verse 135
૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
Verse 136
૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
Verse 137
૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.
Verse 138
૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?
Verse 139
૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.
Verse 140
૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
Verse 141
૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
Verse 142
૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
Verse 143
૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.
Verse 145
૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
Verse 146
૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.
Verse 148
૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
Verse 149
૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?
Verse 151
૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
Verse 152
૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
Verse 153
૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?
Verse 154
૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?
Verse 155
૧૫૫) શું તમે સમજતા પણ નથી ?
Verse 156
૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?
Verse 157
૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.
Verse 159
૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
Verse 160
૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.
Verse 161
૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
Verse 162
૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.
Verse 163
૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.
૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
Verse 165
૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
Verse 166
૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.
Verse 167
૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,
૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,
Verse 169
૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
Verse 170
૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.
Verse 171
૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.
Verse 172
૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
Verse 173
૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
Verse 174
૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
Verse 175
૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
Verse 176
૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?
૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
Verse 178
૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
Verse 179
૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.
Verse 181
૧૮૧) પયગંબરો પર સલામ છે.
Verse 182
૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
تقدم القراءة