الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الطور નો અનુવાદ
Verse 1
ﮞ
ﮟ
૧) સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના.
Verse 2
ﮠﮡ
ﮢ
૨) અને લખવામાં આવેલ કિતાબના.
Verse 3
ﮣﮤﮥ
ﮦ
૩) જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે.
Verse 4
ﮧﮨ
ﮩ
૪) અને આબાદ ઘરના
Verse 5
ﮪﮫ
ﮬ
૫) અને ઊંચી છતના.
Verse 6
ﮭﮮ
ﮯ
૬) અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.
Verse 7
ﮰﮱﯓﯔ
ﯕ
૭) નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે.
Verse 8
ﯖﯗﯘﯙ
ﯚ
૮) તેને કોઇ રોકનાર નથી.
Verse 9
ﯛﯜﯝﯞ
ﯟ
૯) જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.
Verse 10
ﯠﯡﯢ
ﯣ
૧૦) અને પર્વતો ચાલવા લાગશે.
Verse 11
ﯤﯥﯦ
ﯧ
૧૧) તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Verse 12
ﯨﯩﯪﯫﯬ
ﯭ
૧૨) જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.
Verse 13
ﯮﯯﯰﯱﯲﯳ
ﯴ
૧૩) જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.
Verse 14
ﯵﯶﯷﯸﯹﯺ
ﯻ
૧૪) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.
Verse 15
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૧૫) (હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી.
Verse 16
૧૬) જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.
Verse 17
ﭦﭧﭨﭩﭪ
ﭫ
૧૭) નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.
Verse 18
૧૮) જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે.
Verse 19
ﭵﭶﭷﭸﭹﭺ
ﭻ
૧૯) તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા.
Verse 20
૨૦) ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે.
Verse 21
૨૧) જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે.
Verse 22
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૨૨) અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું
Verse 23
૨૩) મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ.
Verse 24
૨૪) અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા.
Verse 25
ﯓﯔﯕﯖﯗ
ﯘ
૨૫) અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.
Verse 26
૨૬) કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.
Verse 27
ﯡﯢﯣﯤﯥﯦ
ﯧ
૨૭) બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા
Verse 28
૨૮) અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે.
Verse 29
૨૯) તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.
Verse 30
૩૦) શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.
Verse 31
ﰄﰅﰆﰇﰈﰉ
ﰊ
૩૧) કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.
Verse 32
૩૨) શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે.
Verse 33
૩૩) શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા.
Verse 34
ﭣﭤﭥﭦﭧﭨ
ﭩ
૩૪) હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે.
Verse 35
૩૫) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?
Verse 36
૩૬) શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે.
Verse 37
૩૭) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.
Verse 38
૩૮) અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
Verse 39
ﮏﮐﮑﮒﮓ
ﮔ
૩૯) શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે ?
Verse 40
૪૦) શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય ?
Verse 41
ﮝﮞﮟﮠﮡ
ﮢ
૪૧) શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?
Verse 42
૪૨) શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.
Verse 43
૪૩) શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.
Verse 44
૪૪) જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.
Verse 45
૪૫) તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.
Verse 46
૪૬) જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.
Verse 47
૪૭) નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે.
Verse 48
૪૮) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.
Verse 49
ﰋﰌﰍﰎﰏ
ﰐ
૪૯) અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.
تقدم القراءة