الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الحاقة નો અનુવાદ
Verse 1
ﮯ
ﮰ
૧) સાબિત થવાવાળી
Verse 2
ﮱﯓ
ﯔ
૨) સાબિત થવાવાળી શું છે ?
Verse 3
ﯕﯖﯗﯘ
ﯙ
૩) અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
Verse 4
ﯚﯛﯜﯝ
ﯞ
૪) તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી.
Verse 5
ﯟﯠﯡﯢ
ﯣ
૫) (જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
Verse 6
ﯤﯥﯦﯧﯨﯩ
ﯪ
૬) અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
Verse 7
૭) જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
Verse 8
ﯼﯽﯾﯿﰀ
ﰁ
૮) શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે ?
Verse 9
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો.
Verse 10
ﭘﭙﭚﭛﭜﭝ
ﭞ
૧૦) અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
Verse 11
૧૧) જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા.
Verse 12
ﭧﭨﭩﭪﭫﭬ
ﭭ
૧૨) જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
Verse 13
ﭮﭯﭰﭱﭲﭳ
ﭴ
૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
Verse 14
ﭵﭶﭷﭸﭹﭺ
ﭻ
૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
Verse 15
ﭼﭽﭾ
ﭿ
૧૫) તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે.
Verse 16
ﮀﮁﮂﮃﮄ
ﮅ
૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
Verse 17
૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે.
Verse 18
ﮑﮒﮓﮔﮕﮖ
ﮗ
૧૮) તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
Verse 19
૧૯) તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”.
Verse 20
ﮢﮣﮤﮥﮦ
ﮧ
૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ.
Verse 21
ﮨﮩﮪﮫ
ﮬ
૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
Verse 22
ﮭﮮﮯ
ﮰ
૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
Verse 23
ﮱﯓ
ﯔ
૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
Verse 24
૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
Verse 25
૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
Verse 26
ﯩﯪﯫﯬ
ﯭ
૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
Verse 27
ﯮﯯﯰ
ﯱ
૨૭) કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત.
Verse 28
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
Verse 29
ﯸﯹﯺ
ﯻ
૨૯) મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી.
Verse 30
ﯼﯽ
ﯾ
૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
Verse 31
ﯿﰀﰁ
ﰂ
૩૧) પછી તેને દોઝખમાં નાખી દો.
Verse 32
૩૨) પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે.
Verse 33
ﰋﰌﰍﰎﰏﰐ
ﰑ
૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
Verse 34
ﰒﰓﰔﰕﰖ
ﰗ
૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
Verse 35
ﰘﰙﰚﰛﰜ
ﰝ
૩૫) બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે.
Verse 36
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૩૬) અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે.
Verse 37
ﭗﭘﭙﭚ
ﭛ
૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
Verse 38
ﭜﭝﭞﭟ
ﭠ
૩૮) બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો.
Verse 39
ﭡﭢﭣ
ﭤ
૩૯) અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા.
Verse 40
ﭥﭦﭧﭨ
ﭩ
૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે.
Verse 41
૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
Verse 42
૪૨) અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
Verse 43
ﭻﭼﭽﭾ
ﭿ
૪૩) (આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે.
Verse 44
ﮀﮁﮂﮃﮄ
ﮅ
૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત.
Verse 45
ﮆﮇﮈ
ﮉ
૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
Verse 46
ﮊﮋﮌﮍ
ﮎ
૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
Verse 47
ﮏﮐﮑﮒﮓﮔ
ﮕ
૪૭) પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત.
Verse 48
ﮖﮗﮘ
ﮙ
૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
Verse 49
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૪૯) અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
Verse 50
ﮠﮡﮢﮣ
ﮤ
૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
Verse 51
ﮥﮦﮧ
ﮨ
૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે.
Verse 52
ﮩﮪﮫﮬ
ﮭ
૫૨) બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર.
تقدم القراءة