سورة الحاقة

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الحاقة નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) સાબિત થવાવાળી
Verse 2
૨) સાબિત થવાવાળી શું છે ?
Verse 3
૩) અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
Verse 4
૪) તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી.
Verse 5
૫) (જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
૬) અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
૭) જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
૮) શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે ?
૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો.
૧૦) અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
૧૧) જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા.
૧૨) જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
Verse 15
૧૫) તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે.
૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે.
૧૮) તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
૧૯) તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”.
૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ.
Verse 21
૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
Verse 22
૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
Verse 23
૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
Verse 26
૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
Verse 27
૨૭) કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત.
૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
Verse 29
૨૯) મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી.
Verse 30
૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
Verse 31
૩૧) પછી તેને દોઝખમાં નાખી દો.
૩૨) પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે.
૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
૩૫) બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે.
૩૬) અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે.
Verse 37
૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
Verse 38
૩૮) બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો.
Verse 39
૩૯) અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા.
Verse 40
૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે.
૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
૪૨) અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
Verse 43
૪૩) (આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે.
૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત.
Verse 45
૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
Verse 46
૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
૪૭) પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત.
Verse 48
૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
૪૯) અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
Verse 50
૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
Verse 51
૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે.
Verse 52
૫૨) બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર.
تقدم القراءة