الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النجم નો અનુવાદ
Verse 1
ﭑﭒﭓ
ﭔ
૧) સોગંદ છે તારાઓના જ્યારે તે પડે.
Verse 2
ﭕﭖﭗﭘﭙ
ﭚ
૨) તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.
Verse 3
ﭛﭜﭝﭞ
ﭟ
૩) અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે.
Verse 4
ﭠﭡﭢﭣﭤ
ﭥ
૪) તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે.
Verse 5
ﭦﭧﭨ
ﭩ
૫) (વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે.
Verse 6
ﭪﭫﭬ
ﭭ
૬) જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
Verse 7
ﭮﭯﭰ
ﭱ
૭) અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.
Verse 8
ﭲﭳﭴ
ﭵ
૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.
Verse 9
ﭶﭷﭸﭹﭺ
ﭻ
૯) બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી,
Verse 10
ﭼﭽﭾﭿﮀ
ﮁ
૧૦) બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ.
Verse 11
ﮂﮃﮄﮅﮆ
ﮇ
૧૧) હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ.
Verse 12
ﮈﮉﮊﮋ
ﮌ
૧૨) શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે.
Verse 13
ﮍﮎﮏﮐ
ﮑ
૧૩) (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.
Verse 14
ﮒﮓﮔ
ﮕ
૧૪) સિદરતુલ્ મુન્તહા પાસે.
Verse 15
ﮖﮗﮘ
ﮙ
૧૫) તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.
Verse 16
ﮚﮛﮜﮝﮞ
ﮟ
૧૬) જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી.
Verse 17
ﮠﮡﮢﮣﮤ
ﮥ
૧૭) ન તો નઝર હટી ન તો હદથી વધી.
Verse 18
ﮦﮧﮨﮩﮪﮫ
ﮬ
૧૮) નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.
Verse 19
ﮭﮮﮯ
ﮰ
૧૯) શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા ?
Verse 20
ﮱﯓﯔ
ﯕ
૨૦) અને મનાત્ જે ત્રીજા છે.
Verse 21
ﯖﯗﯘﯙ
ﯚ
૨૧) શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે ?
Verse 22
ﯛﯜﯝﯞ
ﯟ
૨૨) આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.
Verse 23
૨૩) ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે.
Verse 24
ﯼﯽﯾﯿ
ﰀ
૨૪) શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે ?
Verse 25
ﰁﰂﰃ
ﰄ
૨૫) અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત.
Verse 26
૨૬) અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે.
Verse 27
૨૭) નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.
Verse 28
૨૮) જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી.
Verse 29
૨૯) તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી.
Verse 30
૩૦) આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.
Verse 31
૩૧) અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.
Verse 32
૩૨) તે લોકોને જેઓ મોટા ગુનાહોથી બચે છે અને અશ્ર્લિલતાથી પણ (તેઓને ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,
Verse 33
ﯢﯣﯤ
ﯥ
૩૩) શું તમે તેને જોયો જેણે મોઢું ફેરવી લીધું ?
Verse 34
ﯦﯧﯨ
ﯩ
૩૪) ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.
Verse 35
ﯪﯫﯬﯭﯮ
ﯯ
૩૫) શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે ?
Verse 36
૩૬) શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના,
Verse 37
ﯸﯹﯺ
ﯻ
૩૭) અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું,
Verse 38
ﯼﯽﯾﯿﰀ
ﰁ
૩૮) કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.
Verse 39
ﰂﰃﰄﰅﰆﰇ
ﰈ
૩૯) અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.
Verse 40
ﰉﰊﰋﰌ
ﰍ
૪૦) અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.
Verse 41
ﰎﰏﰐﰑ
ﰒ
૪૧) પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.
Verse 42
ﰓﰔﰕﰖ
ﰗ
૪૨) અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.
Verse 43
ﰘﰙﰚﰛ
ﰜ
૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.
Verse 44
ﰝﰞﰟﰠ
ﰡ
૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.
Verse 45
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૪૫) અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.
Verse 46
ﭗﭘﭙﭚ
ﭛ
૪૬) ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે.
Verse 47
ﭜﭝﭞﭟ
ﭠ
૪૭) અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.
Verse 48
ﭡﭢﭣﭤ
ﭥ
૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે.
Verse 49
ﭦﭧﭨﭩ
ﭪ
૪૯) અને એ કે તે જ તારાઓનો રબ છે.
Verse 50
ﭫﭬﭭﭮ
ﭯ
૫૦) અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.
Verse 51
ﭰﭱﭲ
ﭳ
૫૧) અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો.
Verse 52
૫૨) અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા.
Verse 53
ﭿﮀ
ﮁ
૫૩) અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી.
Verse 54
ﮂﮃﮄ
ﮅ
૫૪) પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ).
Verse 55
ﮆﮇﮈﮉ
ﮊ
૫૫) બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ.
Verse 56
ﮋﮌﮍﮎﮏ
ﮐ
૫૬) આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી.
Verse 57
ﮑﮒ
ﮓ
૫૭) કયામત નજીક આવી ગઇ.
Verse 58
ﮔﮕﮖﮗﮘﮙ
ﮚ
૫૮) અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી.
Verse 59
ﮛﮜﮝﮞ
ﮟ
૫૯) બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.
Verse 60
ﮠﮡﮢ
ﮣ
૬૦) અને હસો છો. રડતા નથી.
Verse 61
ﮤﮥ
ﮦ
૬૧) (પરંતુ) તમે રમી રહ્યા છો.
Verse 62
ﮧﮨﮩﮪ
ﮫ
૬૨) હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો.
تقدم القراءة