سورة النجم

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النجم નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) સોગંદ છે તારાઓના જ્યારે તે પડે.
૨) તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.
Verse 3
૩) અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે.
૪) તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે.
Verse 5
૫) (વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે.
Verse 6
૬) જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
Verse 7
૭) અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.
Verse 8
૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.
૯) બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી,
૧૦) બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ.
૧૧) હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ.
Verse 12
૧૨) શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે.
Verse 13
૧૩) (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.
Verse 14
૧૪) સિદરતુલ્ મુન્તહા પાસે.
Verse 15
૧૫) તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.
૧૬) જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી.
૧૭) ન તો નઝર હટી ન તો હદથી વધી.
૧૮) નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.
Verse 19
૧૯) શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા ?
Verse 20
૨૦) અને મનાત્ જે ત્રીજા છે.
Verse 21
૨૧) શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે ?
Verse 22
૨૨) આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.
૨૩) ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે.
Verse 24
૨૪) શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે ?
Verse 25
૨૫) અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત.
૨૬) અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે.
૨૭) નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.
૨૮) જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી.
૨૯) તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી.
૩૦) આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.
૩૧) અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.
૩૨) તે લોકોને જેઓ મોટા ગુનાહોથી બચે છે અને અશ્ર્લિલતાથી પણ (તેઓને ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,
Verse 33
૩૩) શું તમે તેને જોયો જેણે મોઢું ફેરવી લીધું ?
Verse 34
૩૪) ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.
૩૫) શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે ?
૩૬) શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના,
Verse 37
૩૭) અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું,
૩૮) કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.
૩૯) અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.
Verse 40
૪૦) અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.
Verse 41
૪૧) પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.
Verse 42
૪૨) અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.
Verse 43
૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.
Verse 44
૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.
૪૫) અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.
Verse 46
૪૬) ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે.
Verse 47
૪૭) અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.
Verse 48
૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે.
Verse 49
૪૯) અને એ કે તે જ તારાઓનો રબ છે.
Verse 50
૫૦) અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.
Verse 51
૫૧) અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો.
૫૨) અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા.
Verse 53
૫૩) અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી.
Verse 54
૫૪) પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ).
Verse 55
૫૫) બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ.
૫૬) આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી.
Verse 57
૫૭) કયામત નજીક આવી ગઇ.
૫૮) અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી.
Verse 59
૫૯) બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.
Verse 60
૬૦) અને હસો છો. રડતા નથી.
Verse 61
૬૧) (પરંતુ) તમે રમી રહ્યા છો.
Verse 62
૬૨) હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો.
تقدم القراءة