الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الذاريات નો અનુવાદ
Verse 1
ﯤﯥ
ﯦ
૧) સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
Verse 2
ﯧﯨ
ﯩ
૨) પછી ભાર ઉઠાવનારના.
Verse 3
ﯪﯫ
ﯬ
૩) પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ).
Verse 4
ﯭﯮ
ﯯ
૪) પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
Verse 5
ﯰﯱﯲ
ﯳ
૫) નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે.
Verse 6
ﯴﯵﯶ
ﯷ
૬) અને નિ:શંક ન્યાય થશે.
Verse 7
ﭑﭒﭓ
ﭔ
૭) સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના.
Verse 8
ﭕﭖﭗﭘ
ﭙ
૮) નિ:શંક તમે વિવિધ વાતો કરો છો.
Verse 9
ﭚﭛﭜﭝ
ﭞ
૯) આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય.
Verse 10
ﭟﭠ
ﭡ
૧૦) નષ્ટ થાય અટકળો કરનારા.
Verse 11
ﭢﭣﭤﭥﭦ
ﭧ
૧૧) જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે.
Verse 12
ﭨﭩﭪﭫ
ﭬ
૧૨) પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે ?
Verse 13
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૧૩) હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે.
Verse 14
૧૪) પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.
Verse 15
ﭻﭼﭽﭾﭿ
ﮀ
૧૫) નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે.
Verse 16
૧૬) તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા.
Verse 17
ﮌﮍﮎﮏﮐﮑ
ﮒ
૧૭) તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.
Verse 18
ﮓﮔﮕ
ﮖ
૧૮) અને સહરી ના સમયે માફી માંગતા હતા.
Verse 19
ﮗﮘﮙﮚﮛ
ﮜ
૧૯) અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો.
Verse 20
ﮝﮞﮟﮠ
ﮡ
૨૦) અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.
Verse 21
ﮢﮣﮤﮥﮦ
ﮧ
૨૧) અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી ?
Verse 22
ﮨﮩﮪﮫﮬ
ﮭ
૨૨) તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે.
Verse 23
૨૩) આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો.
Verse 24
ﯙﯚﯛﯜﯝﯞ
ﯟ
૨૪) શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે ?
Verse 25
૨૫) તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે.
Verse 26
ﯫﯬﯭﯮﯯﯰ
ﯱ
૨૬) પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.
Verse 27
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૨૭) અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી ?
Verse 28
૨૮) પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.
Verse 29
૨૯) બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.
Verse 30
૩૦) તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે.
Verse 31
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૩૧) (હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે ?
Verse 32
ﭘﭙﭚﭛﭜﭝ
ﭞ
૩૨) તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
Verse 33
ﭟﭠﭡﭢﭣ
ﭤ
૩૩) જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.
Verse 34
ﭥﭦﭧﭨ
ﭩ
૩૪) જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે.
Verse 35
ﭪﭫﭬﭭﭮﭯ
ﭰ
૩૫) બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.
Verse 36
૩૬) અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.
Verse 37
૩૭) અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી.
Verse 38
૩૮) મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા.
Verse 39
ﮊﮋﮌﮍﮎﮏ
ﮐ
૩૯) બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.
Verse 40
૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક.
Verse 41
૪૧) આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.
Verse 42
૪૨) તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.
Verse 43
૪૩) અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.
Verse 44
૪૪) પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા.
Verse 45
૪૫) બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા.
Verse 46
૪૬) અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા.
Verse 47
ﯰﯱﯲﯳﯴ
ﯵ
૪૭) આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.
Verse 48
ﯶﯷﯸﯹ
ﯺ
૪૮) અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.
Verse 49
૪૯) અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
Verse 50
૫૦) બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
Verse 51
૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.
Verse 52
૫૨) આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.
Verse 53
૫૩) શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.
Verse 54
ﭧﭨﭩﭪﭫ
ﭬ
૫૪) તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી,
Verse 55
ﭭﭮﭯﭰﭱ
ﭲ
૫૫) અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે.
Verse 56
ﭳﭴﭵﭶﭷﭸ
ﭹ
૫૬) મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.
Verse 57
૫૭) ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે.
Verse 58
૫૮) અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે.
Verse 59
૫૯) બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે.
Verse 60
૬૦) બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે.
تقدم القراءة