سورة النبأ

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النبأ નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે.
Verse 2
૨) તે મોટી સુચના બાબત વિશે.
Verse 3
૩) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે.
Verse 4
૪) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 5
૫) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 6
૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?
Verse 7
૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)
Verse 8
૮) અને અમે તમને જોડકામાં પેદા કર્યા.
Verse 9
૯) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી.
Verse 10
૧૦) અને રાતને અમે પરદો બનાવ્યો છે.
Verse 11
૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.
Verse 12
૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા.
Verse 13
૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
૧૪) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો.
Verse 15
૧૫) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે.
Verse 16
૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
૧૭) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે.
૧૮) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો.
Verse 19
૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે. તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
Verse 20
૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે.
Verse 21
૨૧) નિ:શંક દોઝખ ઘાતમાં છે.
Verse 22
૨૨) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે.
Verse 23
૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે.
૨૪) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે.
Verse 25
૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
Verse 26
૨૬) (તેમને) સંપૂર્ણ બદલો મળશે.
૨૭) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
Verse 28
૨૮) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા.
Verse 29
૨૯) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે.
૩૦) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો.
Verse 31
૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
Verse 32
૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.
Verse 33
૩૩) અને નવયુવાન કુમારિકાઓ.
Verse 34
૩૪) અને છલકાતા પ્યાલા.
૩૫) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે.
૩૬) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે.
૩૭) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે.
૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત.
تقدم القراءة