الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النبأ નો અનુવાદ
Verse 1
ﭑﭒ
ﭓ
૧) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે.
Verse 2
ﭔﭕﭖ
ﭗ
૨) તે મોટી સુચના બાબત વિશે.
Verse 3
ﭘﭙﭚﭛ
ﭜ
૩) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે.
Verse 4
ﭝﭞ
ﭟ
૪) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 5
ﭠﭡﭢ
ﭣ
૫) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
Verse 6
ﭤﭥﭦﭧ
ﭨ
૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?
Verse 7
ﭩﭪ
ﭫ
૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)
Verse 8
ﭬﭭ
ﭮ
૮) અને અમે તમને જોડકામાં પેદા કર્યા.
Verse 9
ﭯﭰﭱ
ﭲ
૯) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી.
Verse 10
ﭳﭴﭵ
ﭶ
૧૦) અને રાતને અમે પરદો બનાવ્યો છે.
Verse 11
ﭷﭸﭹ
ﭺ
૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.
Verse 12
ﭻﭼﭽﭾ
ﭿ
૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા.
Verse 13
ﮀﮁﮂ
ﮃ
૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
Verse 14
ﮄﮅﮆﮇﮈ
ﮉ
૧૪) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો.
Verse 15
ﮊﮋﮌﮍ
ﮎ
૧૫) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે.
Verse 16
ﮏﮐ
ﮑ
૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
Verse 17
ﮒﮓﮔﮕﮖ
ﮗ
૧૭) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે.
Verse 18
ﮘﮙﮚﮛﮜﮝ
ﮞ
૧૮) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો.
Verse 19
ﮟﮠﮡﮢ
ﮣ
૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે. તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
Verse 20
ﮤﮥﮦﮧ
ﮨ
૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે.
Verse 21
ﮩﮪﮫﮬ
ﮭ
૨૧) નિ:શંક દોઝખ ઘાતમાં છે.
Verse 22
ﮮﮯ
ﮰ
૨૨) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે.
Verse 23
ﮱﯓﯔ
ﯕ
૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે.
Verse 24
ﯖﯗﯘﯙﯚﯛ
ﯜ
૨૪) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે.
Verse 25
ﯝﯞﯟ
ﯠ
૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
Verse 26
ﯡﯢ
ﯣ
૨૬) (તેમને) સંપૂર્ણ બદલો મળશે.
Verse 27
ﯤﯥﯦﯧﯨ
ﯩ
૨૭) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
Verse 28
ﯪﯫﯬ
ﯭ
૨૮) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા.
Verse 29
ﯮﯯﯰﯱ
ﯲ
૨૯) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે.
Verse 30
ﯳﯴﯵﯶﯷ
ﯸ
૩૦) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો.
Verse 31
ﭑﭒﭓ
ﭔ
૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
Verse 32
ﭕﭖ
ﭗ
૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.
Verse 33
ﭘﭙ
ﭚ
૩૩) અને નવયુવાન કુમારિકાઓ.
Verse 34
ﭛﭜ
ﭝ
૩૪) અને છલકાતા પ્યાલા.
Verse 35
ﭞﭟﭠﭡﭢﭣ
ﭤ
૩૫) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે.
Verse 36
ﭥﭦﭧﭨﭩ
ﭪ
૩૬) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે.
Verse 37
૩૭) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
Verse 38
૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે.
Verse 39
૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
Verse 40
૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત.
تقدم القراءة