الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الرحمن નો અનુવાદ
Verse 1
ﭷ
ﭸ
૧) અત્યંત દયાળુએ.
Verse 2
ﭹﭺ
ﭻ
૨) કુરઆન શીખવાડયું.
Verse 3
ﭼﭽ
ﭾ
૩) તેણે જ માનવીનું સર્જન કર્યુ.
Verse 4
ﭿﮀ
ﮁ
૪) અને તેને બોલતા શીખવાડયું.
Verse 5
ﮂﮃﮄ
ﮅ
૫) સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે.
Verse 6
ﮆﮇﮈ
ﮉ
૬) તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે.
Verse 7
ﮊﮋﮌﮍ
ﮎ
૭) તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.
Verse 8
ﮏﮐﮑﮒ
ﮓ
૮) જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.
Verse 9
ﮔﮕﮖﮗﮘﮙ
ﮚ
૯) ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.
Verse 10
ﮛﮜﮝ
ﮞ
૧૦) અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.
Verse 11
ﮟﮠﮡﮢﮣ
ﮤ
૧૧) જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.
Verse 12
ﮥﮦﮧﮨ
ﮩ
૧૨) અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.
Verse 13
ﮪﮫﮬﮭ
ﮮ
૧૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
Verse 14
ﮯﮰﮱﯓﯔ
ﯕ
૧૪) તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.
Verse 15
ﯖﯗﯘﯙﯚﯛ
ﯜ
૧૫) અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.
Verse 16
ﯝﯞﯟﯠ
ﯡ
૧૬) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 17
ﯢﯣﯤﯥ
ﯦ
૧૭) તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો.
Verse 18
ﯧﯨﯩﯪ
ﯫ
૧૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 19
ﭑﭒﭓ
ﭔ
૧૯) તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.
Verse 20
ﭕﭖﭗﭘ
ﭙ
૨૦) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.
Verse 21
ﭚﭛﭜﭝ
ﭞ
૨૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 22
ﭟﭠﭡﭢ
ﭣ
૨૨) તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે.
Verse 23
ﭤﭥﭦﭧ
ﭨ
૨૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 24
ﭩﭪﭫﭬﭭﭮ
ﭯ
૨૪) અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે.
Verse 25
ﭰﭱﭲﭳ
ﭴ
૨૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 26
ﭵﭶﭷﭸ
ﭹ
૨૬) ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે.
Verse 27
ﭺﭻﭼﭽﭾﭿ
ﮀ
૨૭) ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.
Verse 28
ﮁﮂﮃﮄ
ﮅ
૨૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 29
૨૯) દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.
Verse 30
ﮒﮓﮔﮕ
ﮖ
૩૦) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 31
ﮗﮘﮙﮚ
ﮛ
૩૧) (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું.
Verse 32
ﮜﮝﮞﮟ
ﮠ
૩૨) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 33
૩૩) હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.
Verse 34
ﯔﯕﯖﯗ
ﯘ
૩૪) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 35
૩૫) તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો.
Verse 36
ﯢﯣﯤﯥ
ﯦ
૩૬) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 37
ﯧﯨﯩﯪﯫﯬ
ﯭ
૩૭) બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.
Verse 38
ﯮﯯﯰﯱ
ﯲ
૩૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 39
૩૯) તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે.
Verse 40
ﯼﯽﯾﯿ
ﰀ
૪૦) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 41
ﰁﰂﰃﰄﰅﰆ
ﰇ
૪૧) પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.
Verse 42
ﭑﭒﭓﭔ
ﭕ
૪૨) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 43
ﭖﭗﭘﭙﭚﭛ
ﭜ
૪૩) આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા.
Verse 44
ﭝﭞﭟﭠﭡ
ﭢ
૪૪) તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.
Verse 45
ﭣﭤﭥﭦ
ﭧ
૪૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 46
ﭨﭩﭪﭫﭬ
ﭭ
૪૬) અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે.
Verse 47
ﭮﭯﭰﭱ
ﭲ
૪૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 48
ﭳﭴ
ﭵ
૪૮) (બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.
Verse 49
ﭶﭷﭸﭹ
ﭺ
૪૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 50
ﭻﭼﭽ
ﭾ
૫૦) તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે.
Verse 51
ﭿﮀﮁﮂ
ﮃ
૫૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 52
ﮄﮅﮆﮇﮈ
ﮉ
૫૨) બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે.
Verse 53
ﮊﮋﮌﮍ
ﮎ
૫૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 54
૫૪) જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ
નજીક હશે.
નજીક હશે.
Verse 55
ﮚﮛﮜﮝ
ﮞ
૫૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 56
૫૬) ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.
Verse 57
ﮩﮪﮫﮬ
ﮭ
૫૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 58
ﮮﮯﮰ
ﮱ
૫૮) તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.
Verse 59
ﯓﯔﯕﯖ
ﯗ
૫૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 60
ﯘﯙﯚﯛﯜ
ﯝ
૬૦) ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે ?
Verse 61
ﯞﯟﯠﯡ
ﯢ
૬૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 62
ﯣﯤﯥ
ﯦ
૬૨) અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે.
Verse 63
ﯧﯨﯩﯪ
ﯫ
૬૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 64
ﯬ
ﯭ
૬૪) જે બન્ને ગીચ લીલીછમ છે.
Verse 65
ﯮﯯﯰﯱ
ﯲ
૬૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 66
ﯳﯴﯵ
ﯶ
૬૬) તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે.
Verse 67
ﯷﯸﯹﯺ
ﯻ
૬૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 68
ﯼﯽﯾﯿ
ﰀ
૬૮) તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.
Verse 69
ﰁﰂﰃﰄ
ﰅ
૬૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 70
ﭑﭒﭓ
ﭔ
૭૦) તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.
Verse 71
ﭕﭖﭗﭘ
ﭙ
૭૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 72
ﭚﭛﭜﭝ
ﭞ
૭૨) (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે.
Verse 73
ﭟﭠﭡﭢ
ﭣ
૭૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 74
ﭤﭥﭦﭧﭨﭩ
ﭪ
૭૪) તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો.
Verse 75
ﭫﭬﭭﭮ
ﭯ
૭૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 76
ﭰﭱﭲﭳﭴﭵ
ﭶ
૭૬) લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.
Verse 77
ﭷﭸﭹﭺ
ﭻ
૭૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
Verse 78
ﭼﭽﭾﭿﮀﮁ
ﮂ
૭૮) તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.
تقدم القراءة