سورة المرسلات

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المرسلات નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ.
Verse 2
૨) પછી તીવ્ર હવાઓના સોગંદ.
Verse 3
૩) પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ.
Verse 4
૪) પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર.
Verse 5
૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.
Verse 6
૬) જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
Verse 7
૭) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે.
Verse 8
૮) બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે.
Verse 9
૯) અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે.
Verse 10
૧૦) અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
Verse 11
૧૧) અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
Verse 12
૧૨) કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે ?
Verse 13
૧૩) નિર્ણયના દિવસ માટે
૧૪) અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?
Verse 15
૧૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Verse 16
૧૬) શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ?
Verse 17
૧૭) ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા.
Verse 18
૧૮) અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
Verse 19
૧૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા.
Verse 21
૨૧) પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો.
Verse 22
૨૨) એક નક્કી કરેલ સમય સુધી.
Verse 23
૨૩) પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
Verse 24
૨૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 25
૨૫) શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી ?
Verse 26
૨૬) જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
૨૭) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
Verse 28
૨૮) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૨૯) તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા.
૩૦) ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
૩૧) જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે.
Verse 32
૩૨) નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે.
Verse 33
૩૩) જાણે કે તે પીળા ઊંટો છે.
Verse 34
૩૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 35
૩૫) આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે.
Verse 36
૩૬) ન તેમને તક આપવામાં આવશે.
Verse 37
૩૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૩૮) આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
૩૯) બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
Verse 40
૪૦) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૪૧) નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે.
Verse 42
૪૨) અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે.
૪૩) (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં.
Verse 44
૪૪) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 45
૪૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૪૬) (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો.
Verse 47
૪૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
૪૮) તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા.
Verse 49
૪૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 50
૫૦) હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો ?
تقدم القراءة