الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المرسلات નો અનુવાદ
Verse 1
ﮑﮒ
ﮓ
૧) દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ.
Verse 2
ﮔﮕ
ﮖ
૨) પછી તીવ્ર હવાઓના સોગંદ.
Verse 3
ﮗﮘ
ﮙ
૩) પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ.
Verse 4
ﮚﮛ
ﮜ
૪) પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર.
Verse 5
ﮝﮞ
ﮟ
૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.
Verse 6
ﮠﮡﮢ
ﮣ
૬) જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
Verse 7
ﮤﮥﮦ
ﮧ
૭) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે.
Verse 8
ﮨﮩﮪ
ﮫ
૮) બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે.
Verse 9
ﮬﮭﮮ
ﮯ
૯) અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે.
Verse 10
ﮰﮱﯓ
ﯔ
૧૦) અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
Verse 11
ﯕﯖﯗ
ﯘ
૧૧) અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
Verse 12
ﯙﯚﯛ
ﯜ
૧૨) કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે ?
Verse 13
ﯝﯞ
ﯟ
૧૩) નિર્ણયના દિવસ માટે
Verse 14
ﯠﯡﯢﯣﯤ
ﯥ
૧૪) અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?
Verse 15
ﯦﯧﯨ
ﯩ
૧૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
Verse 16
ﯪﯫﯬ
ﯭ
૧૬) શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ?
Verse 17
ﯮﯯﯰ
ﯱ
૧૭) ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા.
Verse 18
ﯲﯳﯴ
ﯵ
૧૮) અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
Verse 19
ﯶﯷﯸ
ﯹ
૧૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 20
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા.
Verse 21
ﭗﭘﭙﭚ
ﭛ
૨૧) પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો.
Verse 22
ﭜﭝﭞ
ﭟ
૨૨) એક નક્કી કરેલ સમય સુધી.
Verse 23
ﭠﭡﭢ
ﭣ
૨૩) પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
Verse 24
ﭤﭥﭦ
ﭧ
૨૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 25
ﭨﭩﭪﭫ
ﭬ
૨૫) શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી ?
Verse 26
ﭭﭮ
ﭯ
૨૬) જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
Verse 27
૨૭) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
Verse 28
ﭸﭹﭺ
ﭻ
૨૮) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 29
ﭼﭽﭾﭿﮀﮁ
ﮂ
૨૯) તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા.
Verse 30
ﮃﮄﮅﮆﮇﮈ
ﮉ
૩૦) ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
Verse 31
ﮊﮋﮌﮍﮎﮏ
ﮐ
૩૧) જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે.
Verse 32
ﮑﮒﮓﮔ
ﮕ
૩૨) નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે.
Verse 33
ﮖﮗﮘ
ﮙ
૩૩) જાણે કે તે પીળા ઊંટો છે.
Verse 34
ﮚﮛﮜ
ﮝ
૩૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 35
ﮞﮟﮠﮡ
ﮢ
૩૫) આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે.
Verse 36
ﮣﮤﮥﮦ
ﮧ
૩૬) ન તેમને તક આપવામાં આવશે.
Verse 37
ﮨﮩﮪ
ﮫ
૩૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 38
ﮬﮭﮮﮯﮰﮱ
ﯓ
૩૮) આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
Verse 39
ﯔﯕﯖﯗﯘ
ﯙ
૩૯) બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
Verse 40
ﯚﯛﯜ
ﯝ
૪૦) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 41
ﯞﯟﯠﯡﯢ
ﯣ
૪૧) નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે.
Verse 42
ﯤﯥﯦ
ﯧ
૪૨) અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે.
Verse 43
ﯨﯩﯪﯫﯬﯭ
ﯮ
૪૩) (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં.
Verse 44
ﯯﯰﯱﯲ
ﯳ
૪૪) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Verse 45
ﯴﯵﯶ
ﯷ
૪૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 46
ﯸﯹﯺﯻﯼ
ﯽ
૪૬) (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો.
Verse 47
ﯾﯿﰀ
ﰁ
૪૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 48
ﰂﰃﰄﰅﰆﰇ
ﰈ
૪૮) તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા.
Verse 49
ﰉﰊﰋ
ﰌ
૪૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.
Verse 50
ﰍﰎﰏﰐ
ﰑ
૫૦) હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો ?
تقدم القراءة