سورة النازعات

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النازعات નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
Verse 2
૨) બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
Verse 3
૩) અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
Verse 4
૪) પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
Verse 5
૫) પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
Verse 6
૬) જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
Verse 7
૭) ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
Verse 8
૮) (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
Verse 9
૯) તેમની આંખો ઝુકેલી હશે.
૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
Verse 11
૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
Verse 13
૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
Verse 14
૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
Verse 15
૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
૧૭) (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
Verse 19
૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
Verse 20
૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
Verse 21
૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
Verse 22
૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
Verse 23
૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
Verse 24
૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
૨૫) તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો.
૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
Verse 28
૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
Verse 29
૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
Verse 30
૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
Verse 31
૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
Verse 32
૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
Verse 33
૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
Verse 34
૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
Verse 36
૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
Verse 37
૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
Verse 38
૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
Verse 39
૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
Verse 41
૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.
૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે.
Verse 43
૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
Verse 44
૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે.
૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.
૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે.
تقدم القراءة