سورة المعارج

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المعارج નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે.
Verse 2
૨) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી.
Verse 3
૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે.
૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે.
Verse 5
૫) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.
Verse 6
૬) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે,
Verse 7
૭) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
Verse 8
૮) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે.
Verse 9
૯) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
Verse 10
૧૦) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
૧૧) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને,
Verse 12
૧૨) પોતાની પત્નિને અને પોતાના ભાઇને
Verse 13
૧૩) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા.
૧૪) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે.
Verse 15
૧૫) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે.
Verse 16
૧૬) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
Verse 17
૧૭) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
Verse 18
૧૮) અને ભેગુ કરીને સંભાળી રાખે છે.
૧૯) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
Verse 20
૨૦) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે.
Verse 21
૨૧) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે.
Verse 22
૨૨) સિવાય તે નમાઝી
૨૩) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
૨૪) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
Verse 25
૨૫) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
Verse 26
૨૬) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે.
૨૭) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે.
૨૮) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી.
Verse 29
૨૯) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
૩૦) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી.
૩૧) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે.
૩૨) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
Verse 33
૩૩) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
Verse 35
૩૫) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
૩૬) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે.
૩૭) જમણે અને ડાબેથી, જૂથના જૂથ
૩૮) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?
૩૯) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે.
૪૦) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે,
૪૧) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી.
૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે.
૪૩) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય.
૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.
تقدم القراءة