الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المعارج નો અનુવાદ
Verse 1
ﮮﮯﮰﮱ
ﯓ
૧) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે.
Verse 2
ﯔﯕﯖﯗ
ﯘ
૨) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી.
Verse 3
ﯙﯚﯛﯜ
ﯝ
૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે.
Verse 4
૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે.
Verse 5
ﯪﯫﯬ
ﯭ
૫) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.
Verse 6
ﯮﯯﯰ
ﯱ
૬) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે,
Verse 7
ﯲﯳ
ﯴ
૭) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
Verse 8
ﯵﯶﯷﯸ
ﯹ
૮) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે.
Verse 9
ﯺﯻﯼ
ﯽ
૯) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
Verse 10
ﯾﯿﰀﰁ
ﰂ
૧૦) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
Verse 11
૧૧) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને,
Verse 12
ﭜﭝ
ﭞ
૧૨) પોતાની પત્નિને અને પોતાના ભાઇને
Verse 13
ﭟﭠﭡ
ﭢ
૧૩) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા.
Verse 14
ﭣﭤﭥﭦﭧﭨ
ﭩ
૧૪) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે.
Verse 15
ﭪﭫﭬﭭ
ﭮ
૧૫) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે.
Verse 16
ﭯﭰ
ﭱ
૧૬) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
Verse 17
ﭲﭳﭴﭵ
ﭶ
૧૭) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
Verse 18
ﭷﭸ
ﭹ
૧૮) અને ભેગુ કરીને સંભાળી રાખે છે.
Verse 19
ﭺﭻﭼﭽﭾ
ﭿ
૧૯) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
Verse 20
ﮀﮁﮂﮃ
ﮄ
૨૦) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે.
Verse 21
ﮅﮆﮇﮈ
ﮉ
૨૧) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે.
Verse 22
ﮊﮋ
ﮌ
૨૨) સિવાય તે નમાઝી
Verse 23
ﮍﮎﮏﮐﮑ
ﮒ
૨૩) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
Verse 24
ﮓﮔﮕﮖﮗ
ﮘ
૨૪) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
Verse 25
ﮙﮚ
ﮛ
૨૫) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
Verse 26
ﮜﮝﮞﮟ
ﮠ
૨૬) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે.
Verse 27
ﮡﮢﮣﮤﮥﮦ
ﮧ
૨૭) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે.
Verse 28
ﮨﮩﮪﮫﮬ
ﮭ
૨૮) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી.
Verse 29
ﮮﮯﮰﮱ
ﯓ
૨૯) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
Verse 30
૩૦) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી.
Verse 31
૩૧) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે.
Verse 32
ﯧﯨﯩﯪﯫ
ﯬ
૩૨) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
Verse 33
ﯭﯮﯯﯰ
ﯱ
૩૩) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
Verse 34
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
Verse 35
ﯸﯹﯺﯻ
ﯼ
૩૫) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
Verse 36
ﯽﯾﯿﰀﰁ
ﰂ
૩૬) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે.
Verse 37
ﰃﰄﰅﰆﰇ
ﰈ
૩૭) જમણે અને ડાબેથી, જૂથના જૂથ
Verse 38
૩૮) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?
Verse 39
ﰒﰓﰔﰕﰖﰗ
ﰘ
૩૯) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે.
Verse 40
૪૦) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે,
Verse 41
૪૧) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી.
Verse 42
૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે.
Verse 43
૪૩) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય.
Verse 44
૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.
تقدم القراءة