الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الإنفطار નો અનુવાદ
Verse 1
ﭑﭒﭓ
ﭔ
૧) જ્યારે આકાશ ફાટી પડશે.
Verse 2
ﭕﭖﭗ
ﭘ
૨) અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.
Verse 3
ﭙﭚﭛ
ﭜ
૩) અને જ્યારે દરિયાઓ વહી પડશે.
Verse 4
ﭝﭞﭟ
ﭠ
૪) અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.
Verse 5
ﭡﭢﭣﭤﭥ
ﭦ
૫) (ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે.
Verse 6
ﭧﭨﭩﭪﭫﭬ
ﭭ
૬) હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે.
Verse 7
ﭮﭯﭰﭱ
ﭲ
૭) જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો.
Verse 8
ﭳﭴﭵﭶﭷﭸ
ﭹ
૮) જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો.
Verse 9
ﭺﭻﭼﭽ
ﭾ
૯) કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.
Verse 10
ﭿﮀﮁ
ﮂ
૧૦) નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત,
Verse 11
ﮃﮄ
ﮅ
૧૧) લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે.
Verse 12
ﮆﮇﮈ
ﮉ
૧૨) જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે.
Verse 13
ﮊﮋﮌﮍ
ﮎ
૧૩) નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે.
Verse 14
ﮏﮐﮑﮒ
ﮓ
૧૪) અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે.
Verse 15
ﮔﮕﮖ
ﮗ
૧૫) બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે.
Verse 16
ﮘﮙﮚﮛ
ﮜ
૧૬) અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે.
Verse 17
ﮝﮞﮟﮠﮡ
ﮢ
૧૭) અને તને શું ખબર બદલાનો દિવસ શું છે.
Verse 18
ﮣﮤﮥﮦﮧﮨ
ﮩ
૧૮) ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે ?
Verse 19
૧૯) (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે.
تقدم القراءة