الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المطفّفين નો અનુવાદ
Verse 1
ﯖﯗ
ﯘ
૧) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
Verse 2
ﯙﯚﯛﯜﯝﯞ
ﯟ
૨) જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે.
Verse 3
ﯠﯡﯢﯣﯤ
ﯥ
૩) અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે.
Verse 4
ﯦﯧﯨﯩﯪ
ﯫ
૪) શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી.
Verse 5
ﭑﭒ
ﭓ
૫) તે મોટા દિવસ માટે.
Verse 6
ﭔﭕﭖﭗﭘ
ﭙ
૬) જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે.
Verse 7
ﭚﭛﭜﭝﭞﭟ
ﭠ
૭) નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
Verse 8
ﭡﭢﭣﭤ
ﭥ
૮) તને શું ખબર કે સિજ્જીન શું છે ?
Verse 9
ﭦﭧ
ﭨ
૯) (આ તો) લેખિત પુસ્તક છે.
Verse 10
ﭩﭪﭫ
ﭬ
૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
Verse 11
ﭭﭮﭯﭰ
ﭱ
૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
Verse 12
૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે.
Verse 13
૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
Verse 14
૧૪) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે.
Verse 15
ﮍﮎﮏﮐﮑﮒ
ﮓ
૧૫) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે.
Verse 16
ﮔﮕﮖﮗ
ﮘ
૧૬) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે.
Verse 17
૧૭) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા.
Verse 18
ﮡﮢﮣﮤﮥﮦ
ﮧ
૧૮) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
Verse 19
ﮨﮩﮪﮫ
ﮬ
૧૯) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?
Verse 20
ﮭﮮ
ﮯ
૨૦) (તે તો) લેખિત પુસ્તક છે.
Verse 21
ﮰﮱ
ﯓ
૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
Verse 22
ﯔﯕﯖﯗ
ﯘ
૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે.
Verse 23
ﯙﯚﯛ
ﯜ
૨૩) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે.
Verse 24
ﯝﯞﯟﯠﯡ
ﯢ
૨૪) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો.
Verse 25
ﯣﯤﯥﯦ
ﯧ
૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
Verse 26
૨૬) જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ.
Verse 27
ﯰﯱﯲ
ﯳ
૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.
Verse 28
ﯴﯵﯶﯷ
ﯸ
૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે.
Verse 29
૨૯) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા.
Verse 30
ﰂﰃﰄﰅ
ﰆ
૩૦) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
Verse 31
ﰇﰈﰉﰊﰋﰌ
ﰍ
૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા.
Verse 32
ﰎﰏﰐﰑﰒﰓ
ﰔ
૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે.
Verse 33
ﰕﰖﰗﰘ
ﰙ
૩૩) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.
Verse 34
ﭑﭒﭓﭔﭕﭖ
ﭗ
૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે.
Verse 35
ﭘﭙﭚ
ﭛ
૩૫) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે.
Verse 36
ﭜﭝﭞﭟﭠﭡ
ﭢ
૩૬) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો.
تقدم القراءة