سورة الإنشقاق

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الإنشقاق નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) જ્યારે આકાશ ફાટી જશે.
Verse 2
૨) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે.
Verse 3
૩) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.
Verse 4
૪) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
Verse 5
૫) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે.
૬) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે.
૭) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે.
Verse 8
૮) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે.
Verse 9
૯) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે.
૧૦) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
Verse 11
૧૧) તો તે મૃત્યુને પોકારશે.
Verse 12
૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
૧૩) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો.
૧૪) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી.
૧૫) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
Verse 16
૧૬) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના.
Verse 17
૧૭) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ.
Verse 18
૧૮) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
Verse 19
૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો.
Verse 20
૨૦) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા.
૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા.
Verse 22
૨૨) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે.
Verse 23
૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે.
Verse 24
૨૪) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો.
૨૫) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે.
تقدم القراءة