الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الإنشقاق નો અનુવાદ
Verse 1
ﭣﭤﭥ
ﭦ
૧) જ્યારે આકાશ ફાટી જશે.
Verse 2
ﭧﭨﭩ
ﭪ
૨) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે.
Verse 3
ﭫﭬﭭ
ﭮ
૩) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.
Verse 4
ﭯﭰﭱﭲ
ﭳ
૪) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
Verse 5
ﭴﭵﭶ
ﭷ
૫) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે.
Verse 6
૬) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે.
Verse 7
ﮁﮂﮃﮄﮅ
ﮆ
૭) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે.
Verse 8
ﮇﮈﮉﮊ
ﮋ
૮) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે.
Verse 9
ﮌﮍﮎﮏ
ﮐ
૯) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે.
Verse 10
ﮑﮒﮓﮔﮕﮖ
ﮗ
૧૦) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
Verse 11
ﮘﮙﮚ
ﮛ
૧૧) તો તે મૃત્યુને પોકારશે.
Verse 12
ﮜﮝ
ﮞ
૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
Verse 13
ﮟﮠﮡﮢﮣ
ﮤ
૧૩) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો.
Verse 14
ﮥﮦﮧﮨﮩ
ﮪ
૧૪) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી.
Verse 15
૧૫) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
Verse 16
ﯔﯕﯖ
ﯗ
૧૬) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના.
Verse 17
ﯘﯙﯚ
ﯛ
૧૭) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ.
Verse 18
ﯜﯝﯞ
ﯟ
૧૮) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
Verse 19
ﯠﯡﯢﯣ
ﯤ
૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો.
Verse 20
ﯥﯦﯧﯨ
ﯩ
૨૦) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા.
Verse 21
૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા.
Verse 22
ﯲﯳﯴﯵ
ﯶ
૨૨) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે.
Verse 23
ﯷﯸﯹﯺ
ﯻ
૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે.
Verse 24
ﯼﯽﯾ
ﯿ
૨૪) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો.
Verse 25
૨૫) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે.
تقدم القراءة