ترجمة معاني سورة الدّخان
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૨) સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના ! 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩) નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪) આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫) અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬) તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭) જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮) તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯) પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦) તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧) જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨) કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩) તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪) તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫) અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬) જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭) નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૯) અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૦) અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૧) અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૨) પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૩) (અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૪) તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૫) તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૬) તથા ખેતરો અને શાંતિવાળા ઘર.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૭) અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૮) આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૯) તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૦) અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૧) જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૨) અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૩) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૪) આ લોકો તો આવું જ કહે છે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૫) કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૬) જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૭) શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૮) અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૯) પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૦) નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૧) તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૨) સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૩) નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૪૫) જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૪૭)તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૮) પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૯) (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૦) આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૧) નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૫૩) પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૪) આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૫) શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૬) ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૭) આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૮) અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૯) હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે.